________________
મૃત્યુ બાદ તેમના પુત્રએ ઇદને સ્વર્ગ પાછું ન સોંપ્યું. આખરે ઇંદ્રને હાથે તે બધા માર્યા ગયા, એમાંથી કોઈ ન બો ! ક્ષત્રવૃદ્ધિ વંશના નરપતિઓ પછી હવે હે પરીક્ષિત રાજન ! તને હું નહુષવંશનું વર્ણન સંભળાવીશ, જે જાણીને તને ઘણે આનંદ થશે !”
દેવયાની સાથે યયાતિનું લગ્ન
અનુષ્ય સત્તા જીરવવી એ તે, ભારે કઠિન કામ છે; જેને આત્મા પડે ઝાંખો, તે ભલે વેગળ રહે. ૧ એવું જ વાસનાનું છે, ના જીતે તે નીચે પડે; સાવધાન ચઢે ઊંચે, વાસનાક્ષય સાધીને. ૨
શિખરિણ પ્રભુશ્રદ્ધા રાખી, શુચિ મન કરી આમ–પરખી, વિવેકે ઝીલી ત્યાં, ગહન ધ્વનિ તે જાગૃત રહી; મા સૈાના શ્રેયે, કુદરત છતાં અન્ય કરશે, તમે જાણે ત્યાં તે, જરૂર ભવિતવ્યત્વ જ હશે! ૩
શ્રી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! જેમ શરીરને છ ઈદ્રિ હોય છે તેમ નહુષરાજને છ પુત્રો હતા.” આમ નહુષવંશનું વર્ણન શરૂ કરતાં શ્રી શુકદેવજી બેયા અને નહુષકથા આગળ ચલાવતાં ફરીને કહ્યું : “એ છ નહુષરાજાના પુત્ર ક્રમશઃ આ હતા : (૧) યતિ (૨) યયાતિ () સંયતિ (૪) આયતિ (૫) વિયતિ અને (૬) કૃતિ. આમ તે નહુષ રાજા પિતાના મોટા પુત્રને રાજ્ય આપવા માગતા હતા, પરંતુ એણે (યતિએ) રાજ્ય લીધું જ નહિ. કારણ કે