________________
૨૩૧
સપ્તર્ષિઓના કહેવા મુજબ જ કર્યું.” હવે શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે : “પરીક્ષિત ! સત્યવ્રત રાજાની પ્રભુપ્રાર્થના સુણ મસ્યાવતાર રૂપ ભગવાને સત્યવ્રત રાજાને આત્મતત્વને ઉપદેશ કર્યો. આ રીતે જ્ઞાન, ભક્તિ અને કમ એમ ત્રણે યોગેથી યુક્ત મસ્યપુરાણ છે. બસ આમ, બ્રહ્માજીની નિદ્રા તૂટી અને પાછલા પ્રલયને અંત થયો. હયગ્રીવ અસુરને મારી તેની પાસેથી વેદે લઈ ભગવાને પાછા બ્રહ્માને સુપ્રત કરી દીધા. આ રીતે એ જ સત્યવ્રત રાજા જ્ઞાનવિજ્ઞાનથી સંયુક્ત થઈ આ કપમાં વૈવસ્વત મનુ થયા. જે કોઈ જીવ ભગવાન અને સત્યવ્રતના આ શ્રેષ્ઠ સંવાદરૂપી આખ્યાન સાંભળશે, તે અવશ્ય પાપમુક્ત થશે ! જે જીવ આ મસ્યાવતારનું કીર્તન કરશે, તેના બધા જ શુભ સંક૯પ સિદ્ધ થઈ જશે અને તે પરમ ગતિ પામી જશે. આ રીતે પરીક્ષિતજી ! હું પણ એ સમસ્ત જગતના મત્સ્ય ભગવાનને નમસ્કાર કરું છું.”
વિવસ્વત મનુની વંશવેલ છે અજાણ્યે થયું પત, તોય તેનાં કટુ ફળ; રવેચ્છાએ ભોગવે મોટા, સ્વસ્થ રહે સમાજ તે. ૧ નારી બને નરો તેમ, સ્ત્રીઓ અને પુરુષ જે તે માનવું પડે વિષે, સાપેક્ષ દેહ બેઉન. ૨ કિજથી ક્ષત્રિયે થાય, ને ક્ષત્રિય અને દ્વિજે; વૈ પણ થતા એમ, મૂળ પ્રતાપ કર્મને. ૩
પરીક્ષિત રાજાએ જ્યારે શુકદેવજીને પૂછયું કેઃ “આપે બધાં મન્વેતર અને એમાં ભગવાનને અવતાર એ બે મુખ્ય વાત તો