SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ સપ્તર્ષિઓના કહેવા મુજબ જ કર્યું.” હવે શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે: “પરીક્ષિત ! સત્યવ્રત રાજાની પ્રભુપ્રાર્થના અણું મસ્યાવતાર રૂપ ભગવાને સત્યવ્રત રાજાને આત્મતત્વને ઉપદેશ કર્યો. આ રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મ એમ ત્રણે યોગથી યુક્ત મસ્યપુરાણું છે. બસ આમ, બ્રહ્માજીની નિદ્રા તુટી અને પાછલા પ્રલયને અંત થયે. હયગ્રીવ અસુરને મારી તેની પાસેથી વેદે લઈ ભગવાને પાછા બ્રહ્માને સુપ્રત કરી દીધા. આ રીતે એ જ સત્યવ્રત રાજા જ્ઞાનવિજ્ઞાનથી સંયુક્ત થઈ આ ક૫માં વિવસ્વત મનુ થયા. જે કોઈ જીવ ભગવાન અને સત્યવ્રતના આ શ્રેષ્ઠ સંવાદરૂપી આખ્યાન સાંભળશે, તે અવશ્ય પાપમુક્ત થશે ! જે જીવ આ મસ્યાવતારનું કીર્તન કરશે, તેના બધા જ શુભ સંક૯પ સિદ્ધ થઈ જશે અને તે પરમ ગતિ પામી જશે. આ રીતે પરીક્ષિતજી ! હું પણ એ સમસ્ત જગતના મત્સ્ય ભગવાનને નમસ્કાર કરું છું.” વિવસ્વત મનુની વંશવેલ છે અજાણ્યે થયું પત, તેય તેનાં કટુ ફળ રવેચ્છાએ ભેગવે મોટા, સ્વસ્થ રહે સમાજ તે. ૧ નારી બને નરો તેમ, સ્ત્રીઓ અને પુરુષ જે તે માનવું પડે વિષે, સાપેક્ષ દેહ બેઉનો. ૨ દ્વિજથી ક્ષત્રિય થાય, ને ક્ષત્રિય અને દ્વિજો; વૈો પણ થતા એમ, મૂળ પ્રતાપ કર્મનો. ૩ પરીક્ષિત રાજાએ જ્યારે શુકદેવજીને પૂછયું કેઃ “આપે બધાં મવંતરે અને એમાં ભગવાનને અવતાર એ બે મુખ્ય વાત તો
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy