________________
૨૩૦
ભગવાને તેમને વૈવસ્વત મન બનાવી મૂક્યા ! એક દિવસે તેઓ કૃતમાલા નદીમાં નાન સાથે તર્પણ કરતા હતા. તેવામાં તેની અજ લિમાં એક નાની માછલી આવી ગઈ. દ્રવિડ દેશના રાજ તે સત્યવ્રત ખેબામાંની તે માછલીને પરમ દયાપૂર્વક નદીમાં પાછી નાખી તે એ માછલીએ કહ્યું : “બી જલચરોને ડર લાગે છે. માટે મને તું જ રક્ષા આપ.” સત્યવ્રત રાજાએ તેને પોતાના પાત્રના જળમાં રાખી લીધી અને આશ્રમ પર ગયે. ત્યાં એક રાતમાં કમંડળમાં તે એટલી બધી વધી ગઈ અને બોલીઃ “આ વાસણ મને નાનું પડે છે !' તેમાંથી કાઢી મોટા મટકામાં રાખી પણ એ તે વધતી જ ચાલી, છેવટે સરોવર, મહાસરોવર અને આખરે સમુદ્રમાં નાખો ત્યારે બોલીઃ “રાજન ! સમુદ્રમાં ન નાંખ ! કારણ કે ત્યાં બીજ જલચરો મને ખાઈ જશે !” પણ સત્યવ્રત રાજાએ કહ્યું : “માછલીના રૂપે આપ ભગવાન જ છે ! આપ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સ્વામી છે !” આ પ્રમાણે જયારે સત્યવ્રત રાજાએ કહ્યું ત્યારે ભગવાન બોલ્યા : “સત્યવ્રત ! આજથી સાતમે દિવસે, જ્યારે સૂર્લોક આદિ ત્રણે લોક પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે, ત્યારે તું સમસ્ત જીનાં સમ શરીરને સાથે લઈને સપ્તર્ષિઓ સાથે નાવ પર ચઢી જજે ! છાટામેટાં અન્ય પ્રકારનાં બીજે પણ તું સાથે જ તેમાં લઈ લેજે. ત્યારે ચોમેર અંધારું થઈ જશે, માત્ર ઋષિઓના તપપ્રકાશને સહારે લઈ, હિંમત રાખી નૌકામાં તું તરત ચઢીને બેસી જજે ! અને ચારે બાજુ નૌકાને ઘુમાવજે. જ્યારે પ્રચંડ આંધી આવે, ત્યારે પણ નૌકા ભલે ડગમગે, પણ તું હિમ્મત ન હારતો ! ત્યારે હું આવી જઈશ. વાસુકિનાગ દ્વારા એ નૌકાને મારાં શિંગડાં સાથે બાંધી દેજે. બ્રહ્માજીની રાત પૂરી થાય ત્યાં લગી હું તને પણ ચકકર ચક્કર સમુદ્રમાં ફેરવ્યા કરીશ ! એ વખતે તે પ્રશ્ન કરીશ તે અંગે હું ઉત્તરમાં ઉપદેશ આપીશ. ત્યારે તને બ્રહ્મજ્ઞાન થશે.” આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. એ સમય આવી ગયું અને સત્યવ્રત રાજાએ