SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું : “રાજન્ ! હાથમાં છત્ર, દંડ અને પાણીથી ભરેલું કમંડલ લઈને પધારેલા આ વામનાવતાર રૂપી ભૂદેવ, જ્યાં શુક્રાચાર્ય કરાવતા હતા તે જ અશ્વમેધ યજ્ઞના મોંડપમાં પ્રવેશ્યા, તેમની કમર પર મુંજની મેખલા અને ગળામાં જાઈ હતી ! માથા પર જટા અને બગલમાં મૃતમૃગના ચામડાનું આસન હતું. એમના સુખની પ્રભા જોઈને ભૃગુવંશી બધા જ પુરાહિતેા (ખુદ શુક્રાચાર્ય ગુરુ સાથે જ) પ્રભાવિત થઈ ગયા ! અને અગ્નિએની સાથે સૌએ ઊભા થઈને વામન ભગવાનને સત્કાર કર્યાં. વામનાવતાર મુજબ અંગે ભલે ભગવાનનાં નાનાં નાનાં હતાં પશુ ખૂબ ખૂબ મનેરમ્ય અને દર્શીનીય હતાં. એમને જોઇને લિરાજાને ઘણા આનંદ થયેલે. આદરભાવે એમણે વામનાવતાર ભૂદેવના પગ પખાળ્યા અને પૂજા કીધી તથા ઐ યરણુજી લિરાજાએ માથે ચઢાવ્યું અને કહ્યું : આપના ચરણેાને પખાળવાથી હું અને મારા વંશ પાપ મુક્ત થયા છીએ. હવે કૃપા કરી આપને ચરણે શું ધરું ? તે આપ તે જ ફરમાવે ! કારણ કે મને લાગે છે । મારી પાસેથી આપ કાંઈક પશુ લેવા ઇચ્છા છે. એ જ રીતે મારું મન આપને જે કાંઈ ઇચ્છા, તે તન, મન, પ્રાણ, સાધન સહિત બધુ જ આપવા તલસે છે.’ તે જ સમયે ભગવાને બલિરાજાના દાદાજી પ્રદ્લાદ ભક્તને અને બલિરાજાના પિતાશ્રી વીરાયનને યાદ કર્યાં. અને એમણે પોતાનું આખું આયખું' જરા પણ સાચ લાવ્યા વિના સમર્પિત કરી નાખ્યું હતું એની યાદી આપીને કહ્યું ; ‘તું પણ એ જ લિદાન-પ્રવીણુ વંશના સપૂત છે. પરંતુ મારે માત્ર તારી પાસે ત્રણ ડગલાં જેટલી જમીન જ માગવી છે!' હસીને બલિરાજ મેલ્યા : ‘અરે ભૂદેવ ! આપ જે માગે તે બધુ જ આપવા હું તૈયાર છું.. ત્યારે આપ તે કેવળ ત્રણુ ડગલાં જેટલી જમીન જ માગે છે! હજુ વિચાર કરી આપ જે કાંઈ વધુ માગવું હાય, તે ખુશીથી માગી લે. આમ તે આપ કોઢ છે। પરંતુ આપની વ્રુદ્ઘિ હજુ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy