SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ નહીં તો પુરુષાથી, પ્રબળ પુરુષાર્થ તે, મટ્ય થવા છતાં વ્યર્થ, થઈ ભાવ વધારશે. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી ! જોકે દેવો અને દાન બનેએ ઘણું સાવધાનીપૂર્વક સમુદ્રમંથનની ક્રિયા તે એક સરખી કરી પરંતુ બન્નેના ભાવ જુદા જુદા હતા. પ્રભુ તરફ દેવાની નિષ્ઠા હતી જ્યારે દાનવોની વિમુખતા હતી. આથી દેવોને અમૃત પીવા મળ્યું જ્યારે દાનવે ને અમૃતનું એક બિજુ પણ ન મળ્યું. દેવોની સફળતા જોઈ દાનવોને ઘણી અદેખાઈ આવી અને બંને વચ્ચે યુદ્ધ આવી પડ્યું. મતલબ કે દૈવાસુર સંગ્રામ આવી પડ્યો ! વિવિધ પ્રાણીઓ પર ચઢી અસુરે દેવો સામે લડવા લાગ્યા. લડાઈ જબરદસ્ત જામી ગઈ. બલિ નામના અસુરે જ્યારે માયા રચી ત્યારે દેવોએ ભગવાનનું ચિંતન કર્યું. પરિણામે ગરુડ ઉપર સવારી કરીને ખુદ ભગવાને તરત જ તે સ્થળે આવી પહોંચ્યા. જેવા ભગવાન આવી પહોંચ્યા કે તુરત દાનની કપટરૂપી માયા અદશ્ય બની ગઈ. આમ છતાં રાક્ષસ બેવડા જોરથી ખુદ ભગવાનની સામે થયો. કાલનેમિ નામના રાક્ષસે ખુદ ભગવાન સામે ત્રિશૂળ અજમાવ્યું, પણ ભગવાને (કાલનેમિને) પોતાના વજથી રમતાં રમતાં એને તરત ત્રિશળ સહિત ઉડાવી દીધા ! માલ્યવાન વગેરે રાક્ષસોનાં પગ, માથું અને ધડ બને અળગાં પડી ગયાં. પરીક્ષિત રાજન્ ! ભગવાનની દેવો પરની અહેતુકી કૃપાથી તેમને ગભરાટ નીકળી જઈને અસાધારણ હિમ્મત આવી ગઈ ! નવા ઉસાડને સંયાર થયે. ઇકે બલિને ઠપકો આપ્યો પણ બલિએ કહ્યું : “અમારું ભલે જે થવાનું હોય તે થાય પરંતુ અમે તો લડવાના જ. લડતાં લડતાં હાર અને મૃત્યુથી વધુ બીજુ શું થવાનું હતું ? ઈંદ્રના મારથી બલિ પિતાના વિમાનમાંથી નીચે પડી ગયો છતાં હિમત ઉદ નહીં ! આમ દેવો અને અસુરો વચ્ચે લડાઈમાં અપૂર્વ નાશ થવા પછી બ્રહ્માજીએ જોયું કે નારદજીને હવે લડાઈ બંધ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy