SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પર બેસી ગયા. ભવ્ય ભવનમાં પૂર્વાભિમુખ બધા સ્થિર થયા ત્યારે અમૃત-કળશ હાથમાં લઈ મેહિનીએ સભામંડપમાં પ્રવેશ કર્યો. ધીરી ચાલ અને એ મોહિની કુમારીની આંખે જાણે મદમસ્ત બનેલી હતી ? તેણએ દૈત્યને છાંટે અમૃત પણ ન આપતાં દેવોને જ વહેંચી દીધું ! કેતુ દેવો વચ્ચે ચોરીથી પેસી જઈ અમૃત પીવા લાગે. ભગવાન આ જોઈ ગયા અને તેનું માથું ધડથી જુદું કરી નાખ્યું ! ધડને અમૃન નહોતું અર્થે પણ માથાને અડેલું તેથી માથું અમર થઈ ગયું અને ધડ છૂટું પડી ગયું. બ્રહ્માજીએ એને ગ્રહ બનાવી દીધો જે રાહુપે પૂનમે અને અમાસે, સૂયે તથા ચંદ્ર તેને ઉધડે પાડેલે, તેથી બદલે લેવા માટે એ બન્ને પર તે આક્રમણ કરતો રહે છે ! દે અમૃત પી લીધું કે તરત ભગવાને એ દૈત્યોની સામે પિતાનું અસલ રૂપ પ્રકટ કરી દીધું. અને મોહિનીરૂપ ત્યાગી દીધું. પરીક્ષિત ! જે દે અને દેવો બનેએ એકીસાથે, એક હેતુએ, એક વસ્તુ માટે, એક વિચાર અને એક જ કર્મ કર્યું, છતાં ફળમાં બન્ને વચ્ચે ભેદ થઈ ગયો. કારણ કે દેવોએ ભગવાનની ચરણરજ લીધેલી, તેથી પ્રભુકૃપાએ તે હિનીમાં મુગ્ધ ન બન્યા ! રહસ્ય એ છે કે ભગવાનને જ મુખ્યતવે નજરમાં રાખી, જે કર્મો થાય છે તે ખરેખર પાપરહિત સફળતા પામે છે, જેમ મૂળમાં પાણી સિંચવાથી વૃક્ષ વિકસે છે, તેમ...” દેવ-દાનવ યુદ્ધ આત્માને પરમાત્માને સાધે, ન જ્યાં લગી કેમે; ખેંચાતે ત્યાં લગી જીવ દહેઢિયાદિના સુખે. ૧ માટે જ ઈશ્વરી – નિષ્ઠા, ને પ્રત્યક્ષ ગુરુકૃપા; ચાલજે સાધી સંગાથે, ભવસંગ્રામ જીતવા. ૨
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy