SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પરશુરામ જેવા ઋષિ, ધર્માત્મા તેા છે જ, પરંતુ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ ભરી સમતા તેએ રાખી શકતા નથી ! શિખિ જેવા રાષિ ત્યાગી તા. ખૂબ છે જ, પણ માત્ર ત્યાગથી જ મુક્તિ મળી શકે નહીં, કાવી માં વીરતા ઘણી છે. પણ કાળ આગળ તે વીરતાનું કાંઈ ચાલતું નથી. સનકાદિ ઋષિએમાં વિષયાસક્તિ તે નથી, પણ સતત અદ્વૈત સમાધિમાં જ રહે એમની સાથે લગ્ન શી રીતે કરું ? માર્કડેય આદિ ઋષિએ દીર્ઘાયુ તા જરૂર છે જ. પરંતુ એમનાં શીલ મંગલ મારે અનુરૂપ છે જ નહીં ! હિરણ્યકશિપુમાં શીલ મગલ તા છે જ, પણ આયુષ્ય કથા છૂટે, તેના કાંઈ સે! જ નથી. ભગવાન શંકરમાં ઘણું બધું સારું છે, પણ તેએ હમેશાં અમંગલ વૈશમાં જ રહે છે ! હવે બાકી રહ્યા માત્ર વિષ્ણુ ભગવાન ! તેએમાં તા સર્વ પ્રકારની સંપૂણુતા છે. કશી જ ખામી નથી ! પણ તે મને ચાહે છે જ કાં ? તેનું શું ? પરંતુ આખરે એમની પસંદગી કર્યા સિવાય એમને માટે ખીજો ઉપાય જ નહેાતે, કારણ કે એમનામાં બધા જ ઉમદા ગુણે હતા. ખરેખર કહીએ તેા હુીજી આવા પરમ પુરુષ વિના બીજા કાને વરવા માટે ચૂંટી શકે ! એથી લમીજીએ એક માત્ર પેાતાના આશ્રય સ્થાન રૂપે એમને જ પતિ તરીકે ચૂંટયા ! અને ગળામાં સુંદર વરમાળા સમય હું ક્ષણુ ગુમાવ્યા વિના આરપી દીધી, પછી જ્યાં પેાતાનું કાયમી સ્થાન છે, તે વિષ્ણુ ભગવાનની છાતી પર ઠીક ઠીક મીટ માંડી એની સામે જોઈ પાસે જ મૌનપણે ઊભી રહી ગઈ ! ભગવાને પણ ખુશો થઈ લક્ષ્મીને પેાતાના હૃદયકમળમાં સ્થાન આપી દીધું ! લક્ષ્મીજીએ પણ ત્યાં વિરાજમાન થઈ કરુણામય દષ્ટિથી ત્રણે લેાક, લેાકપતિ અને પેતાની પ્રાણપ્યારી પ્રજાની આબાદી કરી નાખી, તે વખતે શંખ, ક, મૃગ આદિ વાજાં વાગવા માંડયાં. ગંધ' તથા અપ્સરાઓ પણ નાચવા લાગી ગયાં. એથી ઠીક ઠીક મુવાજ થવા લાગ્યા. ના. રુદ્ર, અગિરા આદિ બધા પ્રજાપતિએ પુષ્પવર્ષા કરતા કરતા ભગવાનનાં ગુણુ,
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy