SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ નારદ મુનિ વદ્યા : “એકવાર એ જ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી સુક્તિ મેળવી દેવાએ સધળા અસુરને જીતી લીધેલા. તે વખતે એક એક દાનવ સંગઠિત થઈ મયદાનવ પાસે ગયા અને ક્રીથી દેવા સામે યુદ્ધ આર્યું”. શક્તિશાળી એવા મયદાનવે પેાતાની શક્તિ દ્વારા સેાના, ચાંદી અને લોઢાનાં ત્રણ મહાન વિમાન બનાવ્યાં. તે માત્ર વિમાન નહાતાં, ત્રણ નગર જ હતાં! તેમાં અપરિમિત સામગ્રી ભરી હતી. તે ગુપ્ત રીતે આવા કરી શકતાં. દૈત્ય સેનાપતિઓના મનમાં ત્રણે લાક અને લેાકપતિએ ઉપર વૈરભાવ તા હતા જ. પેલાં વિમાનેામાં રહી ચોરીછૂપીથી તે બધાંના નાશ કરવા લાગી ગયા. ત્યારે લેાકપાલાની સાથે બધીયે પ્રજાએ ભગવાન શંકરને શરણે ગઈ. કૃપાળુ શંકરે ‘ડરા મા' એમ કહીને પાતાનાં ધનુષ્યબાણુ એ ત્રણે વિમાના પર છેડી મૂકવાં, જાણે આગની લપટા જ નીકળવા માંડી ! આથી તે ત્રણેય જાણે બળવા લાગ્યાં અને બધા દૈત્યાધિપતિએ નિષ્પ્રાણુ બની ગયા. માયાવી મયદાનવ પાસે ઘણુા ઉપાયા હતા. એણે પોતે જાતે બનાવેલા અમૃત કૂવામાં સૌ નિષ્પ્રાણ દૈત્યાધિપતિએને લાવી લાવીને નાખવા માંડયા. તે સિદ્ધ અમૃતરસને સ્પ થતાં જ પાછા અસુરા તેજસ્વી અને મજબૂત શરીર-પ્રાણવાળા ખના જતા. તે વાદળાને વિદી કરવાવાળી વીજળીમાંની આગની માફ્ક ફરી તાજામાજા થઈ તૈયાર થઈ જતા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી ગઈ કે પેાતાને સંકલ્પ પાર ન પડવાને કારણે ભગવાન શંકર ઉદાસ થઈ ગયા જાય છે ?' ત્યારે ભગવાન વિષ્ણુ પાત ગાય બન્યા. અને બ્રહ્માજી વાડા બન્યા. તેએ અને જણુ ખરે બપારે તે ત્રણેય પુરામાં ગયા અને અમૃત રસના આખાયે વા માંનું બધું અમૃત પી ગયા. જો કે રક્ષક દૈત્યા જોતા હતા! પણ માયાવશે તે તે બંનેને કશું ન કરી શકયા. મયદાનવે તે રક્ષક દૈત્યોને આ ભગવાનની અપાર લીલાનું વર્ણન કરીને દિલાસા આપી દીધે. ભગવાન શંકરને ખુદ ભગવાને હથિયાર બનાવી, અભિજિત
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy