SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અને દાનમાં અભિમાન અને અહંકારની તીવ્રતાથી ધ, માન, માયા, લોભ અને યુદ્ધખોરવૃત્તિની અત્યંત વૃદ્ધિ હેવાથી ભગવાન દેવને પક્ષ લેતા હતા. જેમાં જ્યારે ભોગપરાયણતા, ધંમડ અવિનય અને અન્વય-મદ આવતા ત્યારે તેમની શક્તિ ક્ષીણુ થતી. કેટલાક શ્રાપિત થતા અને એ તકને લાભ લઈ અસુરે તેમના પર આક્રમણ કરી તેમને હરાવતા. ઇન્દ્ર એક બાજુથી ભેગમસ્ત રહી બૃહસ્પતિ ગુરૂને અવિનય કર્યો અને બીજી બાજુથી વિશ્વરૂપને વધ કર્યો એટલે દેવોની શક્તિ નબળી પછે, ત્યારે વિશ્વરૂપના પિતાએ પુત્રનું વેર લેવાના હેતુથી વૃત્રાસુર પ્રગટ કર્યો. વૃત્રાસુરે દેવોને ત્રાહિમામ કરી દીધા. આખું વિશ્વ અશાંતિથી ઊભરાઈ ગયું. વેરને બદલે પ્રેમથી પ્રાર્પણ કરી વિશ્વશાંતિ સ્થાપતું ઉદાહરણ રજૂ કરવા દધીચિ પ્રગટયા; કેમ કે વૈરને બદલે લેતાં, વૈર બીજ રહી ફરી; ફેલાય વિશ્વમાં જેથી, ઘોર અશાંતિ કાયમી. તેવી વેર ભૂલી વહાલે, વિશ્વને જે વધાવશે; તે જ સતી દ્વિજે સંતો તણું ત્રણ અદા કરે. (પા. ૧૨૯) માનવતાને મહિમા આ ઘર ત્રાસમાંથી મુક્તિનો માર્ગ બતાવતાં ભગવાને દેવને દધીચિ અશ્વિની પાસે જઈ તેમનાં અસ્થિ માગવા કહ્યું; કેમ કે માણસ સિવાય તેવું સમર્પણ કેણ કરી શકે? મહર્ષિનાં હાડકાંના વજથી વૃત્રાસુરને હરાવાની વાત આવી અને ધીચિ બોલી ઊઠયા? અતે નશ્વર આ દેહ, માટી સાથે મળી જશે; મૂલ રક્ષાર્થ કાજે તે, સ્વયં તે તજ ન સ્પે? (પા. ૧૩૧) દેવની માગણીથી મનુષ્યજન્મ સાર્થક કરવાનો અવસર પ્રાત થવાના આનંદમાં દધીચિએ પ્રભુમાં લીન થઈ સાપ કાંચળીને અને કોઈ જાને જન્મ સાર્થક થઇ જ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy