SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર. વાનની જેમ મારાં એ પૂજ્ય માતાજીને સારી પેઠે સમજાવ્યાં અને કહ્યું : “બેટી! જ્યાં લગી તારા પતિશ્રી તપ કરીને પાછા ન ફરે ત્યાં લગી તું અહીં મારા આશ્રમ પર જ રહી જા.” એ રીતે નિર્ભયતાપૂર્વક મારાં માતુશ્રી પછી આશ્રમમાં જ રહી ગયેલાં અને પ્રેમ તથા ભક્તિથી નારદમુનિની સેવામાં ખૂંપી ગય'. ત્યારે ઋષિ નારદજીએ ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધજ્ઞાન એમ બેવડો ઉપદેશ આપ્યા કર્યો હતે. આ બધો બોધ આપતી વખતે ઋષિ નારદજી મારા ઉપર પણ બરાબર દષ્ટિ રાખતા હતા ! અલબત્ત મારાં પૂજ્ય માતાજીને આ બધાં ભકિત-જ્ઞાન યાદ નહોતાં રહી શકયાં પરંતુ દેવષિ નારદજીની કૃપાથી એ બધું મને હજ પણ અને પૂરેપૂરું યાદ રહી ગયું છે. જો તમે પણ મારી આ વાત પર પૂરેપૂરી શ્રદ્ધા જાળવી રાખશે તો તમને સૌને પણ મારી માફક જ ભકિત અને જ્ઞાન લાધશે ! કારણ કે શ્રદ્ધાથી તે સાવ નપાવટ ગણાતાં નરનારી-આબાલવૃદ્ધની બુદ્ધિ પણ મારા સમાન શુદ્ધ થાય જ છે ! જેમ જન્મ, અસ્તિત્વને અનુભવ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને વિનાશ એ થે ભાવ-વિકારા શરીરમાં જ દેખાય છે. આત્માની સાથે એને કોઈ લગવાડ નથી જ. પણ સાથોસાથ આતના જ્ઞાનમય હોવાને લીધે જ જડ એવા શરીરમાં મમત્વ–બુદ્ધિ થવાને લીધે જ્ઞાનવિરોધી અજ્ઞાનપણું પણ વેદાય છે, એટલે જ “અને મારું” એવા જૂઠા ભાવે આત્માની સહાય લઈને છોડી દેવા જોઈએ. જેમ માટી અને સોનું જાણકારી દ્વારા જુદું પાડી શકાય છે, તેવું જ આત્માનું છે. એક એવા શુદ્ધ આત્મસ્વરૂપને જાણી લેવાથી બધું આપોઆપ જણાઈ જ રહે છે. જો કે આમ જોઈએ તે નાનાં મોટાં પ્રાણું માત્રમાં આત્મા છે જ અને છતાં આત્મા જુદે પણ છે જ. માટે મિત્રે ! તમે વયથી ભલે નાના રહ્યા પણ શ્રદ્ધામય બનો તે ખરેખર મોટાથી પણ મોટા ક્ષણવારમાં થઈ શકશે અને જ્ઞાન–ભકિત સાથે એવાં કામ કરે છે જેથી આખરે તમે વિશુદ્ધ આત્માવાળા થઈ પરમાત્મ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy