SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ એકાગ્રતા દ્વારા પ્રભુપ્રાપ્તિ કરો ધિક્કાર સકાર, ન તેની પ્રભુને તમા; સ્વમાં એકાગ્ર હે સૌએ માત્ર છે તેટલી તમા. ૧ થયે એકાગ્ર આત્મામાં, દો ઘટે ગુણ વધે, પ્રભુ – પ્રાપ્તિ થશે પૂરી, દોષહીન ગુણવડે. ૨ વ્યષ્ટિની ચેતના એમ, સમષ્ટિ ચેતના ભણી; વહી, તાળ મળે સાચે, અહંતા મમતા ટળી. ૩ શુકદેવજી બેલ્યા : “...ભગવાન તે સમત્વ ભાવી જ છે. એમ છતાં બાળકોને ચલાવવા માટે જેમ ઠેલણગાડીને આધાર વડલોએ આપવો પડે છે, તેમ ભગવાનને પણ અર્થાથી છતાં નિખાલસ ભક્તને (તેને વિકાસ થતાં પહેલાં) આધાર આપવો પડે છે. ખરી રીતે તે તેનું નિખાલસપણું એ જ જગતમાંના અવ્યક્ત તત્વને આકષીને નિખાલસ સાધક-સાધિકાને મદદ કરવા પ્રેરે છે. ભગવાન સમતા-ધારી છે અને રહેવાના જ. આ એક પ્રસંગ આપના જ પૂર્વજ અને વડીલ ધર્મરાજ યુધિષ્ઠિર વખતે બન્યો હતો તે જ ટૂંકમાં કહું..” એમ કહીને બ્રહ્મચારી શુકદેવજીએ પોતાની વાત આગળ લંબાવીઃ “રાજસૂયયજ્ઞમાં જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે જ જોતજોતામાં નરી આંખે ચેદિરાજ શિશુપાલ ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયે– એવે વખતે ત્યાં મહર્ષિ નારદ હાજર હોવાથી યુધિષ્ઠિરે તેઓને જ પૂછયું. “...આ કેવી વાત ! મેટા મોટા ભક્તો પણ ભગવાન કૃષ્ણમાં નથી સમાઈ શકતા. જયારે શિશુપાલ જે અહંકારી અને લંપટ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy