SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ નહુષને કળાપૂર્વક ઋષિમુનિઓને અપરાધી બનાવી અભિશાપ અપાવી સર્પ બનાવી મૂકે. ઈંદ્ર પશ્ચાત્તાપે પાવન થઈ પાછે હવે ઈંદ્રલોકમાં આવી કરીને સ્થિર બની ગયે. ઈઝરાય સ્વર્ગમાં સ્થિર થયા પછી બ્રહ્મષિ ઓએ ત્યાં પહોંચી જઈ ભગવાનની આરાધના માટે દેવતાઓના આ ઈદ્રને યજ્ઞ-દીક્ષા આપી. બસ હવે જ ઈન્દ્રનાં વૃત્રાસુરવધનાં પાપને જે ભાર હતો, તે સાવ જડમૂળથી ખંખેરાઈ ચૂક. મતલબ કે અન્યાય-નિવારણ માટે કેટલીક વાર લડાઈમાં સ્થળ હિંસા અનિવાર્ય બનતી હોય છે. એમ છતાં એ સ્થળહિંસાથી પણ બચી જવાય, તેટલું સારું. અહિંસા જેટલી વધે, તેટલું જ સત્ય વધુ દીપે છે, અને સત્ય જેટલું દીપે છે તેટલું જ જગત બંને પ્રકારનાં સુખ-શાંતિ પામી શકે છે !!! આમ સુરાસુર સંગ્રામમાં દવવિજ્ય અને છેવટે વિજયના ગર્વને બદલે થયેલાં ધૂળ પાપનો પણ પસ્તાવો કરવાથી વહેલી વહેલી પાપમુક્તિ થાય છે. આ મુજબ આ વ્યાખ્યાનમાં આવતું વૃત્રાસુરનું વર્ણન છેવટે પાપમુક્તિની પ્રેરણા પાય છે. સત્ય ભગવાનની ભક્તિમાં વધારો કરે છે. એથી આ ઈદ્રાખ્યાન જે સદા-સર્વદા વાંચશે-સાંભળશે–સેવશે, તેથી તેમનાં ધન અને યશ વધશે. શત્રુ પર વિજય પામશે. આયુષ્ય અને મંગલ વધશે તથા નાનાં-મોટાં બધાં પાપથી પણ અવશ્ય મુક્તિ મેળવવાનો મહામાર્ગ સૂઝી જશે. ચિત્રકેતુ કથા અકારણે અદેય, ઈર્ષા જે થાય કેઈને; તોયે ત્યાં જાગૃતિ રાખી, વર્તવું નિત્ય સાધકે. ૧ કેમકે આખરે આત્મા, છે એક પ્રાણિમાનો; તે સાધવા પડે રેવું, મેર સાવધાન છે.
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy