SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ રહૂગણુના હૃદયપલટે - કૈ અજ્ઞ – અપરાધીનાં,અપમાના ગળી જઈ જ્ઞાન માર્ગે ચઢાવે આ સતાની ભારતી ભૂમિ. સ્વશ્રેય સાધવા છેને, ઉપાદાને ન સજ્જ છે !; પ્રનિમિત્ત ખની જાતે, તા૨ે તેને ય તારશે. ૧ જગે સર્વોચ્ચ એથી જ, સત્સંગ-મહિમા કહ્યો; એના જેવું નથી ખીજું, સર્વોચ્ચ સાધનેય કા’ ૩ બ્રાહ્મણુ અને રાજા રદ્દગણુના સંવાદ આગળ ચાલે છે. બ્રાહ્મણ કહે છે ઃ સૌંસારમાં એકલી કડવાશ નથી, તેમ એકલી મીઠાશ પણ નથી, એમાં એકલી કડવાશ હાત, તા જીવને વૈરાગ્ય આવતાં વાર ન લાગત. એ જ રીતે એકલી મીઠાશ હૈાત તા મીઠાશના અતિશયપણાને લીધે પણ બૈરાગ્ય ઊભા થાત–પરંતુ આ એક એવું કડવાશ અને મીઠાશનું મિશ્રણ છે કે થોડાક વૈરાગ્ય જાગે ત્યાં જ રાગ પાછે જીવને પકડમાં લઈ લે છે. અને રાગના પ્રત્યાધાતરૂપે દ્વેષ જાગે છે. આમ રાગદ્વેષની ધટીમાં જીવ પિસાયા કરે છે. મેહ, માયા અને તૃષ્ણા એવાં જોરદાર છે, કે સત્યમાર્ગ સૂઝવા દેતાં જ નથી. કદી ભૂલ્યેચૂકશે સત્યની ઝાંખી થાય કે તરત પાછા મેહમાયાના પડદે આવીને ઊભા જ રહે છે. આ માત્ર એકલા ગૃહસ્થીની જ દા નથી, ખુદ સંન્યાસીની પણુ એવી જ દશા છે. છતાં ચેારાસી લાખ જીવયેાનિમાં મનુષ્ય જન્મ જ એવા છે કે જેના યથાર્થ ઉપયાગ કરી લેવાય, તે કર્મબન્ધનના પાશમાંથી કાયમ માટે મુક્ત થઈ શકાય !'' આ સાંભળી રગણુ રાજીરાજી થઈને ખેલ્યા : “ખરેખર હું આજે કૃતકૃત્ય થઈ ગયા. આપ કહેા છે, તે સાવ સાચું છે. માનવજન્મની
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy