SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આગ્નીધ્રચરિત્ર સંયમ–તપલક્ષી જ્યાં, માનવી, દૈવીયેગથી; જન્માવે ઘમ્ય સંતાને, એ જ આ ભૂમિ ભારતી. ૧ પ્રસવે કૃખ જેઓની, આકષી ખુદ ઈશને; પાકે એવી મહા સ્ત્રીઓ, ફક્ત ઘમિઠ ભારતે. ૨ મહર્ષિમુનિઓ કેરી, તેથી અહી પરંપરા વર્ષોથી ચાલી આવી છે એવી આ ભારતી ધરા. ૩ પિતા દેવવ્રત રાજ્ય પાટ વગેરે આગ્રોધ રાજકુમારને સોંપી પ્રયાણ કરી ગયા. આગ્નીધ્ર પ્રજાને પુત્ર ગણુને પૂરેપૂરું પાલન કર્યું. એક દિવસ લેક-પરલોકના વિચારમાં એમને થયુંઃ અપુત્રની ગતિ જ નથી તે શું કરવું ? એ વિચારમાં જ પુત્રવેણું જન્મી. તેથી તેઓ સપુરાની કામનાને કારણે મંદરાચળ પર્વતની એક ઘાટીના એકાંત સ્થળમાં જઈ પ્રથમ તે બધાયે પ્રજાપતિના સ્વામી એવા બ્રહ્માજીની ઉપાસના કરવામાં તલ્લીન થયા. આ સ્થળ પણ એવું સુંદર, રસાળ અને રમણીય હતું કે સુરસુંદરીઓ ક્રીડા કરવા લલચાતી. બ્રહ્માની ઉપાસનાથી બ્રહ્માજીને પ્રેરણ થઈ, અને પરિણામે પોતાની સુરસભામાંથી એક પૂર્વચિતિ નામની અપ્સરાને પિતે જ આગ્નીધ્ર પાસે મોકલી આપી. એ અસરાનું નૃત્ય અને ઝણઝણું ઊઠેલાં ઝાંઝરથી જરાક આંખ ઊઘડી ત્યાં તે અદ્દભુત લાવશ્યવાળી લલના જોવામાં આવી. એ અસરા ભમરીની માફક એક ફૂલ પાસે જતી હતી અને ત્યાં એની વિલાસપૂર્ણ ગતિ હતી. વળી થોડી થોડી વારે લજામય લે ચનથી તિરછી આંખે તે આગ્ની તરફ નિહાળતી હતી અને જાણે
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy