SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ તથા મૃત્યુના સંયેગે જયાં યાતના અને નરક, આ છે સંક્ષેપમાં અધીને વંશવારસો. આટલી ઓળખાણ યથાર્થ થઈ જવાથી મનની મલિનતા દૂર થઈ જાય છે. હવે તમે બ્રહ્મપુત્ર મનુ મહારાજની વંશાવળી સાંભળોઃ હરિને અંશ બ્રહ્માજી ! અને બ્રહ્માજીના અંશરૂપ સ્વાયંભુવ મનુ મહારાજને શતરૂપા મહારાણુથી બે પુત્ર થયા (૧) પ્રિયવ્રત અને (૨) ઉત્તાનપાદ, ભગવાન વાસુદેવની કળાએ જન્મવાથી એ બંનેને સંસારને સુરક્ષિત રાખવાની જોરદાર તાલાવેલી હતી. ઉત્તાનપાદ રાજાને રાણુઓ બે હતી : (૧) સુનીતિ અને (૨) સુરુચિ. તે બે પૈકી સુરુચિ નાની છતાં વધુ વહાલી હતી.” રાયજી કહે છે : “ભક્તજી જુઓને, માયાનું દેવું પ્રાબલ્ય છે ! ! એક દિવસ ઉત્તાનપાદ રાજા સુરુચિ રાણીથી પેદા થયેલા પુત્ર ઉત્તમને પિતાની ગોદમાં લઈ રમાડી રહ્યા હતા. તેવામાં સુનીતિને પુત્ર ધ્રુવ પણ દોડીને આવી પહોંચ્યા અને ઉત્તમની જેમ પિતાની ગાદમાં બેસવાની પિતાની ઇચ્છા પ્રગટ કરી. પરંતુ અણમાનીતીથી જન્મેલા ધ્રુવ તરફ રાજા ઉત્તાનપાદ હજુ નજર કરે તે પહેલાં તે ઘમંડથી ભરેલી સુરુચિ ત્યાં દોડી આવી અને છણકો કરીને બેલીઃ અલ્યા ધ્રુવ ! શું કરવા મંડ્યો છે ! આ ગોદમાં તે જે રાજસિહાસન પર બેસી શકે, તે જ બેસશે. ભલે તું રાજપુત્ર રહ્યો, પણ મારી કૂખે પેદા કયાં થયે છે ? મારી કુખ વિના ઉત્તાનપાદ રાજવીનું રાજ સિંહાજન તને ક્યાંથી મળે? નહીં જ મળે. મારી કૂખે તું આવ પછી રાજવીની ગેદ અને ગાદી બનેય મળી શકશે. તપસ્યા દાર શ્રી નારાયણને સાધી લઈશ તે જ હવે તને તારા બીજા જન્મ મારી કૂખ મળી શકશે, સમયે કે?' બાળક જોકે ઉમ્મરે નાના હતા પણ સ્વમાનો હતો. આવું હડહડતું અપમાન અને તેય સમા–બાપની હાજરીમાં થયું. એટલે એ સ્વમાની બાળકને જબર ધક્કો લાગે. એ સ્થાન છેડતે, જોરથી રડતે અને લાંબા લાંબા
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy