SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નામને દેવોને યજ્ઞકુંડમાંથી પ્રગટ કરાવ્યા અને દક્ષને તો બચાવી લીધા, પરંતુ યજ્ઞમંડપમાને સૌને આનંદ તો આપોઆપ પલાયન થઈ જ ગયે !” યજ્ઞધ્વંસ અને યજ્ઞપૂર્તિ સવગુણ બલિદાન, વિશ્વ વ્યર્થ ન તેય તે. તમેયુક્ત-રજસ્ત, સજાથી નાથવાં પડે. ૧ રૌદ્ર ને સૌમ્ય બે પાસાં, છે શિવ ભગવાનમાં વ્યષ્ટિમાં ને સમષ્ટિમાં, જીવન પણ છે બેવડા. ૨ તે પૈકી સાધજે સૌમ્ય, રૌદ્ર પાર કરી જજે, તે મર્યજન્મમાં નકકી, સામટી સિદ્ધિ પામશો. ૩ ભક્ત વિદુરજીને ઉદ્દેશીને મેરોયમુનિ બેલ્યાઃ “આપ જાણે જ છે કે નારદમુનિ તે મોટે ભાગે ફરતા રહેતા હોય છે. અને ઘટનાએનું યથાસ્થાને યથાયોગ્ય વર્ણન પણ કરતા હોય છે. સતીજીના સ્વેચ્છાએ શરીરત્યાગની વાત તેઓએ ભગવાન શંકરને વહેલામાં વહેલી પહોંચાડી. એટલે મહાદેવજી વિચારમાં પડયાઃ સતીજીએ તે સ્વબલિદાન આપી પતિભક્તિ તથા અન્યાય પ્રતીકારને અહિંસક માર્ગ બતાવી દીધું અને પિતાનું કલ્યાણ કરી ગયાં, પરંતુ દક્ષ પ્રજાપતિની યજ્ઞસભામાં જમા થયેલાં પૈકીનાં ઘમંડભરી રીતે વતી પ્રજપતિને બેટે માર્ગે સાથ આપનારાને આટલા માત્રથી પિતાની ભૂલને પૂરેપૂરો ખ્યાલ નહીં આવે, અને પસ્તાવો થવાની વાત દૂર રહી જશે. એટલે એને બરાબર ઉપાય કરવો જોઈએ. એ વિચાર પછી એમનામાં રોષ ઊભરાઈ નીકળે. એમણે પિતાની જટાને લટ ઉખાડી
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy