SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ હું સમજી શકું છું આપની જગત પ્રત્યેની જવાબદારી વ્યક્તિગત સંબંધે કરતાં ઘણું મોટી અને ગંભીર છે. એ દૃષ્ટિએ આપે તે વખતે એમનુ બીજાઓની જેમ અંધ અનુકરણરૂપ સન્માન ન કર્યું, તે જ જરૂરી હતું. એટલે જે થયું તે થયું. વળી મને એમ થાય કે આપે એમને ખરાબ લાગ્યું છે, એવું ચહેરા ઉપરથી કળી જતાં વાર જ હું આપને પ્રસંગ આવે મારું વર્તન અગ્ય ન હતું પણ યોગ્ય હતું તે સાબિત કરી આપીશ.” એમ કહીને કાંઈક (તમારા સસરાજીનો) કેપ ઓછો કર્યો હેત તે વધુ સારું થાત. પરંતુ આવું કહેવાથી મારા પિતા દક્ષછ કદાચ ત્યારે તો વધારે ગુસ્સા પણ કરત! એ પણ બનવા જેવા લાગે છે. એટલે એકંદરે તે જે થયું તે યંગ્ય જ થયું ગણાય. પરંતુ હવે એમને રોષ દૂર થાય અને આજે જે બે જૂથ પડી ગયાં જેવું બન્યું છે તે ટળે, તે માટે આમંત્રણ ન મળવા છતાં આપણે આ મહાન પ્રસંગ પર જઈ આવીએ તે ઠીક, આ મારો વિચાર આપને કેવો લાગે છે ? સતીનાં આવાં વચનને જવાબ આપતા હોય તેમ ભ. શંકર બોલ્યાઃ “સતી ! દક્ષને અંગત કે કુટુંબગત પ્રસંગ હોત તે નિમત્રણ વિના પણ આત્મીય ભાવે જવામાં આપણે વિનય શોભત, પરંતુ આ પ્રસંગ આખીયે માનવસહિત દેવસૂષ્ટિને છે. વળી ઈરાદાપૂર્વક આપણને અવગણ્યાં છે. આમ તે તમારા ઉપર તમારા પિતાજીને અપાર પ્યાર છે. સતી તરીકે માત્ર યાર જ નહીં, બલકે આદર પણ છે. પરંતુ મારા પરને (નાક) ગુસ્સો તેઓશ્રીએ તમારા ઉપર પણ ઉતાર્યો છે. એટલે હું તે જઈ શકું નહીં, તેમ “તમે જાઓ” એમ પણ કહી શકું નહીં, એમ છતાં એક નારીને પિતાનું મહિયર પળે પળે સાંભરવું શકય છે, તેમાં ય જે પિતાને પિયરમાં આ માટે સમારોહ પ્રસંગ હોય તે કઈ નારીને જવાનું મન ન થાય? એ રીતે તમારું મન પણ થાય, તે સ્વાભાવિક છે. પરંતુ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy