SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ પતિ સાથે થયું. એમની સોળ કન્યાઓ પૈકી એક મહાદેવજીને પણ અપાઈ હતી. મૂર્તિદેવીની કૂખે નર-નારાયણ ભગવાન પેદા થયેલા. તેમને નીરખી આખી પૃથ્વી રાજી રાજી થઈ ગઈ. તેઓ યુવાન થતાં વાર જ ગ ધમાદન પર્વત પર ચાલ્યા ગયા. આ નર અને નારાયણ એ જ એક અર્થમાં તે વાસુદેવ અને અર્જુન જ ગણાય, જેઓ પૃથ્વી પરથી અધમ ને ભાર ઉતારવા માટે જ આવ્યા હતા. હવે મારે તમને એક ખાસ વાત કહેવી છે, તે ધ્યાન દઈને તમે સાંભળો. દક્ષ પ્રજાપતિ એ મહાદેવના સસરા હોવા છતાં એવું વર્તન આચર્યું કે તે દુઃખથી પોતાની પુત્રી સતી (મહાદેવ–પની)નું વહેલું મૃત્યુ થયું. અને ધૂળ બાળકે તો પેદા થયાં જ નહીં ! કારણ કે પતિપરાયણ સતીજીએ યુવાવસ્થામાં જ પિતાને પ્રાણત્યાગ નોતરી લીધો. વાત એમ બની હતી કે એકદા દક્ષ પ્રજાપતિ એક મોટી સભામાં ગયા હતા. મોટા મોટા એકેએક જણે દક્ષ પ્રજાપતિનું સન્માન કર્યું, પરંતુ ભગવાન શંકરે જરાપણું સન્માન ન કર્યું ! કારણ કે તેમણે જોયું કે દક્ષ પ્રજાપતિને પિતાના બ્રહ્મતેજનું અતિભયંકર અભિમાન થયું છે. તેઓ બેઠા રહ્યા એથી દક્ષ પ્રજાપતિને અતિશય ખરાબ લાગ્યું અને તેઓ સૌની આગળ ઉધાડા થઈને બોલી પણ ઊઠયા : “જે કે મને એનું કંઈ નથી, પણ આ મહાદેવજી આમ તો મારા પુત્ર જેવા છે, છતાં તેઓએ મને માન આપ્યું નહીં. મને હવે પસ્તાવો થાય છે કે આવા જમાઈરાજ મેં ક્યાં ને ત્યા કે જેઓને સામાન્ય શિષ્ટાચારની પણ કયાં ખબર છે? કારણ કે ભૂતપિશાચ સાથે સ્મશાનમાં ફરનારા ન ગધડ ગને સભ્યતાને ખ્યાલ ન હોય, તે દેખીતું છે.” આમ કહી ત્યાંને વ! મડદેવજીનું એવા વચનથી જ ઘેર અપમાન કર્યું. છતાં મહાદેવજી તે મિત કરતા રહ્યા. છતાં એથી પણ દક્ષને તો કંધપાર પરાકાઠા એ પહેચી ગયે અને આખી સભા મહાદેવજીના પક્ષમાં હોવા છતાં હવેથી શિવજીને યજ્ઞભાગ ન દેવો જોઈએ.' એમ કહી રાતા પીળા બનીને પ્રા. ૪
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy