________________
તેના છે. આપણું જીવન તેમના તરફ કેમ ઢળે તે જોવાનું છે. ચાલુ શિક્ષણમાં જે દોષો છે તે કાઢવાના છે. હું ઘણીવાર પૂછું છું, ભણીને શું કરશો ? તો ઘણા કહે છે, “નોકરી કરવા.” આપણે માત્ર પેટ ભરવા જમ્યાં નથી પણ ઈશ્વરને પ્રાપ્ત કરવા જન્મ્યા છીએ. પશુ અને માનવમાં ફેર છે. બે બળદો સાથે કામ કરતા હોય અને છતાંય એકને ખોરાક નાખો અને બીજાને ન નાખો તો એક બળદ એકલો આનંદથી ખાશે. કદાચ પડોશનો તેનું ખાવા જશે તો માથું મારશે. જયારે માણસ આવું નહિ કરી શકે. તે ભૂખ્યો રહેશે પણ બીજાને આપશે.
- એક કિસાન હતો. તેની પાસે એક ગુણી ડાંગર હતી. દુકાળ પડ્યો. તેણે વિચાર કર્યો, જો આ ચોખા હું ખાઈ જઈશ તો બીજે વર્ષે બી નહિ મળે એટલે ગામ ખાતર પોતે ભૂખ્યો રહ્યો. મરી ગયો પણ બી સાચવી રાખ્યું. આ રીતે તેનો આત્મા આગળ ગયો.
આવી જ બીજી વાત છે : યુદ્ધમાં એક સૈનિક ઘવાયો હતો. પાણીપાણી કરતો હતો. તેની બહેન પાણી લઈને આવી પણ બાજુમાં જ બીજો સૈનિક પાણીની બૂમો પાડતો હતો. પેલા સૈનિકે બહેનને કહ્યું, પાણી તેને આપ. બહેન પાણી ત્યાં લઈ ગઈ. ત્યાં તો ત્રીજો સૈનિક પાણીની બૂમો પાડતો હતો. પેલાએ ત્યાં મોકલી. આમ પાણી તો કોઈના કામમાં ના આવ્યું. ત્રણે મરી ગયા પણ આત્મા ઊંચો ગયો. બીજા માટે જીવ્યા ને બીજા માટે મર્યા. જીવન ધન્ય બની ગયું. ગાંધીજીએ શિક્ષણમાં બીજો દોષ બતાવ્યો, કે શિક્ષણમાં કિંઈક ઉત્પાદન થવું જોઈએ. તમે વાલીઓને કંઈ ને કંઈ ઉત્પન્ન અને બચત કરી આપો. આથી તમને સર્જનનો આનંદ થશે. કરકસરની ટેવ પડશે.
હું હમણાં શ્રીમના અનુયાયીઓ પાસે જઈ આવ્યો. જો દરેક ધર્મના લોકો એકબીજાના ધર્મસ્થળોમાં જાય, અરસપરસ મળે, તો ભાઈચારો વધે. હિન્દુ હો કે મુસલમાન હો, ખ્રિસ્તી હો કે પારસી હો, દરેકને સત્ય અને
અહિંસાની વાત કરી છે. ધર્મ તો માણસને પવિત્રી બનાવે છે. કચ્છના બે હિન્દુઓ સિંધમાં ગયા. જ્ઞાતિએ હિન્દુ હતા. ગામમાં પહોંચ્યા ત્યાં બે મુસલમાન મળ્યા. કહ્યાં, એ અહીં આવો. અમારો સવાલ છે. જવાબ આપો. શું છે જવાબ આપો. હિન્દુ સારા કે મુસલમાન સારા ? જવાબ મળ્યો. તેમણે કહ્યું, એક રાખ છે. બીજો ધૂળ છે. સાર સમજાવ્યો. મુસલમાન દાટે સાધુતાની પગદંડી પુસ્તક - છઠું
૧૨૫