SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ પાઠશાળાની મુલાકાત મહારાજશ્રીએ જણાવ્યું કે સમય બહુ ટૂંકો છે. તમારી સાથે રહેવાનું મન થાય કારણ કે તમારામાં ભક્તિ છે. વ્યક્તિપૂજામાં જે મજા છે તે વ્યક્તિની પ્રેરણાથી આપણે ઉત્કર્ષ કરી શકીશું. વ્યક્તિના જીવનસ્પર્શથી ચૈતન્ય ઉભરાય છે. એ અનંત છે. ત્યાં વાણીથી પરિચિત કરી શકાય નહીં એટલે ચેતના વિશે જે ભક્તિ ધરાવો છો એથી એમનો આત્મા જયાં હોય ત્યાં પ્રસાર પામે. આત્મામાં અભેદ ભાવ છે. આત્મકલ્યાણ અને સમાજકલ્યાણ જુદું નથી. શ્રીમદૂને આપણે વાંચીશું તો એ જણાશે કે તેમણે ગાંધીજીને પ્રેરણા આપી. રાષ્ટ્રપિતા તરીકે ગાંધીજી પ્રખ્યાત હોય તો તેમને પ્રેરણા આપનાર વ્યક્તિ પણ આપણી મંગલમૂર્તિ છે. વ્યક્તિપૂજામાં જોખમ છે પણ એમાં જાગૃતિ રહેવી જોઈએ. એના તરફ પ્રેમ હોય તો બીજા તરફ અપ્રેમ ન થાય એ જોવું. તેમણે અંતરના અનુભવથી આ કહ્યું છે. એ અનુભવ ત્યારે થાય કે જયારે આપણે એ અનુભવ કરીએ. જેમને જેમ માનવું હોય તેમ માને આપણે ઘર્ષણમાં ના આવીએ. આપણે નિશ્ચયથી રહીએ. ત્યારબાદ શ્રીમદ્રનાં હસ્તલિખિત પુસ્તકો, લેખો બતાવ્યાં હતાં. અહીં ઘણાં પુસ્તકો રાખવામાં આવે છે. શ્રીમદૂના ફોટા, તેમનાં પુસ્તકો, પ્રતિમા જીવન રાખ્યું છે. લોકો પ્રાર્થના કરે છે. સ્વચ્છતા સુંદર છે. શ્રીમદૂના જયાં જયાં આશ્રમો હોય છે ત્યાં ત્યાં એક પ્રકારનું ભક્તિમય વાતાવરણ હોય છે. બહેનોભાઈઓ સાથે ભજન ગાય છે. સુંદર શિસ્ત હોય છે. અહીંથી બે-એક માઈલ દૂર વડવા આશ્રમ છે. ત્યાં પણ શ્રીમદ્જીનું સ્મરણ સ્મૃતિ છે. શ્રીમદ્જી જે વડ નીચે બેસતા, તે જગ્યા પણ સાચવી રાખી છે. વડવા આશ્રમનું અલગ ટ્રસ્ટ છે. તા. ૨૬-૧૧-૫૭ : મદ્રેસા સ્કૂલમાં મુલાકાત - સૌથી પહેલાં તો મને જોઈને તમને નવાઈ લાગતી હશે કે આ સાધુ કયા સંપ્રદાયના હશે અને અમોને સંબોધવા શું કામ લાવ્યા હશે ? માણસમાં માણસાઈ હોય તો માણસ, નહીં તો પશુ કહેવાય છે. માણસ વિચારી શકે છે કે હું બીજાને કેમ ઉપયોગી થાઉં અને ઈશ્વરને પ્રાપ્ત કરું. તમે બધાં ધાર્મિક શિક્ષણ લો છો તેથી આનંદ થાય છે. ધર્મ વિશાળ છે. સૂર્યના કિરણો હાથમાં નહીં પકડી શકો. હવાને હાથમાં નહીં પકડી રાખો. તે સર્વવ્યાપક છે. સર્વને માટે છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. તે સૌનો છે. સૌ ૧૨૪ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy