SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮/૨૯-૭-૧૯૫૬ : ગણોતધારાની સમજૂતી અંગે બે દિવસનો વર્ગ. તા. ૧-૮-૧૯૫૬ : ગણોતધારાનો મુંબઈ રાજ્યમાં અમલ. કાશીબહેનના ત્રિદિવસીય ઉપવાસથી શુદ્ધિપ્રયોગનો પ્રારંભ. તા. ૨-૮-૧૯૫૬ : આત્મારામ ભટ્ટ શબ્દરચના હરીફાઈ અંગે માર્ગદર્શન માટે આવ્યા. તા. ૭-૮-૧૯૫૬ : મુંબઈમાં દ્વિભાષી રાજ્ય રચતા શ્રી કુરેશીએ ખબર આપ્યા. તા. ૮-૮-૧૯૫૬ : અમદાવાદમાં દ્વિભાષી રાજ્ય રચના અંગે હડતાલ - વિદ્યાર્થીઓનું સરઘસ - સાત જણનાં મૃત્યુ. તા. ૧૬-૮-૧૯૫૬ : અમદાવાદના ગોળીબાર અંગે વિદ્યાર્થીઓને સમજ-ચર્ચા. તા. ૧૭-૮-૧૯૫૬ : સારંગપુરના શુદ્ધિપ્રયોગ અંગે જાસા ચિદ્ધિ આવતાં તે માટેના | વિકલ્પો વિચારાયા. તા. ૨૦-૮-૧૯૫૬ : દ્વિભાષીના ઉપવાસો અંગે શ્રી મોરારજીભાઈ દેસાઈ અમદાવાદમાં ઉપવાસ ઉપર ઊતર્યા તેમને ચિઠ્ઠી લઈને મળવા મોકલ્યા. તા. ૨૧-૮-૧૯૫૬ : પ્રા. સંઘની મિટિંગ - પ્રયોગના ચાર તાલુકાના ઉમેદવારોનાં નામ વિચારાયાં. તા. ૨૩-૮-૧૯૫૬ : અમદાવાદના આંદોલન અંગે અખબારોના અહેવાલ અંગે નારાજગી. તા. ૨૪-૮-૧૯૫૬ : મોરારજીભાઈના ઉપવાસના સમર્થનમાં પોતે ઉપવાસ કરવા ઈચ્છે છે એવી લાગણી દર્શાવતાં, મોરારજીભાઈએ અસંમતિ દર્શાવી. તા. ૨૭-૮-૧૯૫૬ મહારાજશ્રી રોજેરોજ મોરારજીભાઈને પત્ર તથા અખબારોને નિવેદન મોકલે છે. તા. ૧-૯-૧૯પ૬ : આજથી પર્યુષણ નિમિત્તે વ્યાખ્યાનો શરૂ કર્યા. તા. ૧૧-૯-૧૯૫૬ : ચિત્તલથી દામોદર મૂલચંદ પોતાનાં પત્ની સાથે મળવા આવ્યા. મગજની અસ્થિરતા. તા. ૧૪-૯-૧૯૫૬ : વિવિધ મુલાકાતો : અમદાવાદ, મુંબઈ વગેરેથી આવેલ મહેમાનો. તા. ૧૫-૯-૧૯૫૬ : મુંબઈથી હિંમતલાલ મણિયાર નાનચંદભાઈને સલાહ - મોટા પ્રશ્નો ચાલે ત્યારે નાના અન્યાયને ગૌણ રાખવા. ૨૭
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy