________________
તા. ૨૮/૨૯-૭-૧૯૫૬ : ગણોતધારાની સમજૂતી અંગે બે દિવસનો વર્ગ. તા. ૧-૮-૧૯૫૬ : ગણોતધારાનો મુંબઈ રાજ્યમાં અમલ. કાશીબહેનના
ત્રિદિવસીય ઉપવાસથી શુદ્ધિપ્રયોગનો પ્રારંભ. તા. ૨-૮-૧૯૫૬ : આત્મારામ ભટ્ટ શબ્દરચના હરીફાઈ અંગે માર્ગદર્શન માટે
આવ્યા. તા. ૭-૮-૧૯૫૬ : મુંબઈમાં દ્વિભાષી રાજ્ય રચતા શ્રી કુરેશીએ ખબર આપ્યા. તા. ૮-૮-૧૯૫૬ : અમદાવાદમાં દ્વિભાષી રાજ્ય રચના અંગે હડતાલ -
વિદ્યાર્થીઓનું સરઘસ - સાત જણનાં મૃત્યુ. તા. ૧૬-૮-૧૯૫૬ : અમદાવાદના ગોળીબાર અંગે વિદ્યાર્થીઓને સમજ-ચર્ચા. તા. ૧૭-૮-૧૯૫૬ : સારંગપુરના શુદ્ધિપ્રયોગ અંગે જાસા ચિદ્ધિ આવતાં તે માટેના
| વિકલ્પો વિચારાયા. તા. ૨૦-૮-૧૯૫૬ : દ્વિભાષીના ઉપવાસો અંગે શ્રી મોરારજીભાઈ દેસાઈ
અમદાવાદમાં ઉપવાસ ઉપર ઊતર્યા તેમને ચિઠ્ઠી લઈને
મળવા મોકલ્યા. તા. ૨૧-૮-૧૯૫૬ : પ્રા. સંઘની મિટિંગ - પ્રયોગના ચાર તાલુકાના ઉમેદવારોનાં
નામ વિચારાયાં. તા. ૨૩-૮-૧૯૫૬ : અમદાવાદના આંદોલન અંગે અખબારોના અહેવાલ અંગે
નારાજગી. તા. ૨૪-૮-૧૯૫૬ : મોરારજીભાઈના ઉપવાસના સમર્થનમાં પોતે ઉપવાસ કરવા
ઈચ્છે છે એવી લાગણી દર્શાવતાં, મોરારજીભાઈએ
અસંમતિ દર્શાવી. તા. ૨૭-૮-૧૯૫૬ મહારાજશ્રી રોજેરોજ મોરારજીભાઈને પત્ર તથા અખબારોને
નિવેદન મોકલે છે. તા. ૧-૯-૧૯પ૬ : આજથી પર્યુષણ નિમિત્તે વ્યાખ્યાનો શરૂ કર્યા. તા. ૧૧-૯-૧૯૫૬ : ચિત્તલથી દામોદર મૂલચંદ પોતાનાં પત્ની સાથે મળવા આવ્યા.
મગજની અસ્થિરતા. તા. ૧૪-૯-૧૯૫૬ : વિવિધ મુલાકાતો : અમદાવાદ, મુંબઈ વગેરેથી આવેલ
મહેમાનો. તા. ૧૫-૯-૧૯૫૬ : મુંબઈથી હિંમતલાલ મણિયાર નાનચંદભાઈને સલાહ - મોટા
પ્રશ્નો ચાલે ત્યારે નાના અન્યાયને ગૌણ રાખવા.
૨૭