SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૩૩ જૈન ચિત્રકલ્પદ્રુમ સંબોધનનું બહુવચન, સ્મિત્તિકાંતિતિષત્તિ, ગતિવાનિતનિશ્ચિત્તે સમગીનું એકવચન, રાતરામ દવે ત્રીજા પુપનું દ્વિવચન, સંતરાજ ત્રીજા પુણ્યનું બહુવચન ઈત્યાદિ. સંબંધન માટે કેટલીકવાર માત્ર હૈ પણ કરવામાં આવે છે. જેમકેઃ ોિત્મિમિક્ષઃ ઈત્યાદિ. સંસ્કૃતાદિ ભાષાઓના કેટલાક પ્રાથમિક અભ્યાસીઓ પ્રારંભમાં અભ્યાસ કરાતા કાવ્ય આદિમાં આ ચિહ્ન સાર્વત્રિક ઉપયોગ પણ કરે છે. ૧૩ અન્વયદર્શક ચિ. તેરમા વિભાગમાં “અન્વયદર્શક ચિહ્ન છે; એ પણ આંકડાપ છે. એને ઉપયોગ તર્કગ્રંથમાં જ્યાં અર્થની ભ્રાંતિ થવાનો સંભવ હોય ત્યાં તેમજ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાના કોમાં પદો આડાંઅવળાં હેઈ તેને અન્વયે દર્શાવવા માટે કરવામાં આવે છે. જેમકે નાતોર્થાતરા નબલ આ વાકયમાં આંકડા મૂકવામાં ન આવ્યા હોય તો જરૂર અર્થની ભ્રાંતિ થયા સિવાય ન જ રહે. આ વાક્યમાં તેથી અર્થાતર, એ સ્વવેદનપ્રત્યક્ષ નથી અને તેથી સ્વસંવેદનપ્રત્યક્ષ, એ અર્થાતર નથી’ એમ બે પ્રકારના અર્થની ભ્રાંતિ થાય છે. આ બે અર્થમાંથી વાસ્તવિકરીતે અહીં કયે અર્થ ઘટમાન છે એ દર્શાવવા માટે આ વાક્યમાં “અન્વયદર્શક ચિ' એટલે કે અન્વયદર્શક અંકો કરવામાં આવ્યા છે. આ જ રીતે આવા દરેક સંશયજનક સ્થળે તેમજ શ્લોકોમાં પદને અન્વયે દર્શાવવા માટે અંકે કરવામાં આવે છે. ૧૪ ટિપ્પનકદર્શક ચિ ચૌદમા વિભાગમાં “પિનકદર્શક ચિ' છે. એ ચિ, ચાલુ કોઈપણ પાઠને અંગે પાઠભેદ, પર્યાયાર્થ કે વ્યાખ્યા આદિ આપવાનાં હોય તેના ઉપર કરવામાં આવે છે અને એ પાઠભેદ આદિની નેંધ પુસ્તકના હાંસિયામાં કરવામાં આવે છે. ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ પંદરમા વિભાગમાં આપેલ ચિહ્નો “વિશેષણ-વિશેષ્યસંબંધદર્શક ચિહ્યો છે. આ ચિહ્નોને ઉપયોગ, લાબાં લાંબા વાક્યમાં દૂર દૂર રહેલાં વિશેષણ અને વિશેષ્યને પરસ્પર સંબંધ બતાવવા માટે કરવામાં આવે છે. વિશેષણ અને વિશેષ્ય ઉપર ગમે તે એક આકારનું ચિફ મૂકવાથી વિચક્ષણ વાચક બંનેના સંબંધને સહજમાં પકડી લે છે–સમજી લે છે. ૧૬ પૂર્વપદપરામર્શક ચિ સોળમા વિભાગમાં “પૂર્વપદપરામર્શક ચિહ્નો આપવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રના ગ્રંથોમાં એક જ વાક્યમાં વારંવાર આવતા અને જુદા જુદા અર્થનો નિર્દેશ કરતા તત્વ શબ્દથી શું સમજવું એ માટે ટિપ્પણે ન કરવાં પડે અને વસ્તુ આપોઆપ સમજાઈ જાય એ હેતુને લક્ષમાં રાખી આ ચિહ્નો પસંદ કરવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રીય ગ્રંથમાં આવતા એ તત્ શબ્દોથી જે જે અર્થ લેવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy