SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોય છે તે તે અર્થને સૂચવનાર પદો પહેલાં આવી ગએલાં જ હોય છે, એટલે જે તત્ત શબ્દથી જે અર્થ લેવાનો હોય એ બંને પદો ઉપર ગમે તે પ્રકારનું એકસરખું ચિહ્ન કરવામાં આવે છે જેથી વસ્તુ સ્વયં સ્પષ્ટ થતાં નકામાં ટિપ્પણે કરવાનો શ્રમ બચી જાય છે. આ સિવાય દાર્શનિક ગ્રંથોમાં જ્યાં અમુક વિષયને લક્ષીને લાંબા સંબંધે ચાલુ હોય, એકબીજા દર્શનકારોના પક્ષો ઉપર કે જુદાજુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલતી હોય ત્યાં એવાં સંકેતચિહ્નો કરવામાં આવે છે, જેથી તે તે વિષયની ચર્ચા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં વિરમે છે એ સમજી શકાય. ઉપર અમે ટૂંકમાં અનેક જાતનાં ચિહ્નોનો પરિચય આપે છે. એ ચિહ્નો પૈકીનાં કેટલાંયે ચિહ્નો અગિયારમી સદીમાં લખાએલાં પ્રાચીન તાડપત્રીય પુસ્તકમાં મળે છે, અને કેટલાંક પ્રાચીન શિલાલેખો અને તામ્રપત્રમાં પણ મળે છે. છેવટે, આમાં આપેલાં ચિહ્નો પૈકીનું એવું એક પણ ચિહ્ન નથી જે વિક્રમના સોળમા સૈકા પહેલાનું ન હોય. આ બધાં ચિહ્નો પૈકીનાં ઘણાંખરાં ચિહ્નોનો ઉપયોગ ખ્યાલમાં આવી શકે અને એનું મહત્ત્વ સમજાય એ માટે અમે લીંબડીના જૈન જ્ઞાનભંડારમાના પ્રમાણપરીક્ષા ગ્રંથની પ્રતિના એક પાનાનું પ્રતિબિંબ (ફોટો) આપીએ છીએ (જુઓ ચિત્ર નં. ૧૮). એ પ્રતિ સર્વોત્કૃષ્ટ અને પાંડિત્યપૂર્ણ સંશોધનકળાના આદર્શ નમૂના ૫ છે. અત્યારના કેટલાક વિદ્વાન જૈન સાધુઓ પિતાના સંશોધનકાર્યમાં ઉપરોક્ત ચિહ્નોને આજે પણ ઉપયોગ કરે છે. જૈન લેખનકળા, સંશોધનકળા અને તેનાં પ્રાચીન અર્વાચીન સાધન, ચિત્ર, સંકેત વગેરેને લગતો એટલે આપી શકાય તેટલો વિશદ પરિચય આપ્યા પછી પ્રસંગવશાત તેની સાથે સંબંધ ધરાવતા (૧) જૈન જ્ઞાનભંડારે અને પુસ્તકલેખન તથા (૨) જૈન પુસ્તકો અને જ્ઞાનભંડારનું સંરક્ષણ, એ બે મુદ્દાઓ વિષે કાંઈક લખવાની અમારી ઈચ્છાને અમે રોકી શકતા નથી. જૈન જ્ઞાનભંડારો અને પુસ્તકલેખન પ્રારંભમાં અમે જણાવી ગયા છીએ કે સ્થવિર આર્ય દેવગિણિ ક્ષમાશમણે સંઘસમવાય એકત્ર કરી સર્વસમ્મતરીતે શાસ્ત્રલેખનનો આરંભ કર્યો હતો. એ શાસ્ત્રલેખન પ્રસંગે પુસ્તકલેખનને અંગે શી શી વ્યવસ્થાઓ હશે, કઈ કઈ જાતનાં પુસ્તકો લખાયાં હશે, કેટલાં લખાયાં હશે, એ પુસ્તકના લેખકે કોણ હશે, પુસ્તકો શાના ઉપર લખાયાં હશે, શાથી લખાયાં હશે, પુસ્તક માટેનાં ઉપકરણોજુદીજુદી જાતનાં સાધનો કેવાં હશે, ખવાઈ ગએલાં પુસ્તકો કેમ સાંધવામાં આવતાં હશે, પુસ્તકસંશોધનની પદ્ધતિ, સંકેત અને તેનાં સાધનો કેવા પ્રકારનાં હશે, પુસ્તકોના અંતમાં પુસ્તક લખાવનારની પ્રશસ્તિ, પુષિકા વગેરે કેવી રીતે લખાતાં હશે, પુસ્તકસંગ્રહની અભિવૃદ્ધિ અને તેની રક્ષા માટે કેવા ઉપાયે યોજવામાં આવ્યા હશે, જ્ઞાનભંડારને કેવા સ્થાનમાં અને કેવી રીતે રાખતા હશે, એ જ્ઞાનભંડારની ટીપ વગેરે કેવા પ્રકારની કરવામાં આવતી હશે, ઈત્યાદિ હકીકત જાણવા માટે તે જમાનામાં લખાએલા જ્ઞાનસંગ્રહો કે તેમને એક પણ અવશેષ આજે આપણી સામે નથી; તેમ છતાં તે જમાનાના પ્રભાવશાળી સમર્થ જૈન સ્થવિર ભિક્ષુઓ, તે જમાનાને સમર્થ શિશ્નપાસક જૈન શ્રીસંઘ, સમર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy