SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પદ જૈન ચિત્રકલ્પદ્રુમ ઊભા રાખી ખેસે છે, જ્યારે કેટલાક લહિયા એક પગ ઊભા રાખી લખે છે. કેટલાક લેખ પાનાં રાખીને લખવાની પાટીને ઊભી રાખી લખે છે તેા કેટલાક લિખારીએ તેને આડી રાખી લખે છે, જ્યારે કેટલાક કાશ્મીરી લહિયા એવા કળાબાજ હોય છે કે પાનાની નીચે પાટી વગેરેનું ટેકણુ રાખ્યા સિવાય પાનાને તદ્દન અધર રાખીને જ લખે છે ! ઘણાખરા લહિયા પાના ઉપર એળિયાથી લીટીઓ દોરીને જ લખે છે-લખતા, જ્યારે ઘણા યે લહિયાએ લીટીઓ દોર્યો સિવાય અથવા પાનાને મથાળે માત્ર એક આછી પાતળી લીટી દેરીને જ લખતા. આજકાલ ગૂજરાત, મારવાડ આદિના જૈન લેખકો એ પગ ઉભા રાખી,—પગ દુખે હિ એ માટે તેની નીચે ગાડાને ગાળ વીંટળા રાખી,—તેના ઉપર આડી પાટી રાખી અને પાના ઉપર ઓળિયાથી લીટી દોરીને જ લખે છે. કેટલાક લેખકો આડા કાપની કલમથી લખનારા હાય છે તે કેટલાક લગભગ સીધા કાપની કલમથી લખનારા હોય છે. કેટલાક લેખકોને હાથ હળવા હાય છે ત્યારે કેટલાકના હાથ ભારેપડતા હોય છે. આ બધી વિચિત્ર ટેવાને કારણે એકબીજાની કલમ રાંટી ન થઇ જાય, હેરડાઇ ન જાય કે તેમાં કૂચા ન પડી જાય એ માટે લેખકે બનતા સુધી એકાએક એકબીજાની કલમ પરસ્પરને લખવા માટે લેતા-દેતા નથી. આ માટે એક સુભાષિત પણ છે કેઃ ‘ઐવિની” પુસ્તä રામા, પરરૂસ્તે જતા ગતા । દ્રાવિત પુત્તરાયાતા, ‘ટા' મા ૨ મ્યુન્વિતા // લેખકાના લેખનવરામ લહિયાઓને પુસ્તક લખતાં લખતાં કોઇ કારણસર ઊઠવું હાય અથવા તે દિવસને માટે કે અમુક મુક્તને માટે લખવાનું કામ મુલતવી રાખવું હોય તે તેઓ સ્વરા તેમજ, ક ખ ગ ઙ ચ છ જ ઞ રે ઢે ણુ થ દ ધ ન દ્ ભ મ ય ર ષ સ હ ક્ષ ન આટલા અક્ષરે ઉપર ક્યારે પણ પેાતાનું કામ બંધ કરતા નથી. કારણ કે તેઓ માને છે કેઃ * કટ જાવે, જી ખા જાવે, TM ગરમ હોવે, ૬ ચલ જાવે, ઇ છટક જાવે, ન જોખમ દિખાવે, ૩ ડામ ન બેસે, ૪ ઢળી પડે, ન હાણુ કરે, થ થિરતા કરે, ૬ દામ ન દેખે, ધ ધન છાંડે, ન નઠારા, દૂ ફટકારે, મ ભમાવે, મૈં માઠા, ચ ફેર ન લિખે, ૬ રાવે, ૫ ખાંચાળા, સ સંદેહ ધરે, હૈં હીણા, ક્ષ ક્ષય કરે, જ્ઞ જ્ઞાન નહિ.’ અર્થાત્ બાકીના ધ ઝ ટ ડે તે જ બ લ વ શ' અક્ષર ઉપર તેઓ તેમનું કામ બંધ કરે છે, તેમની માન્યતા છે કે: ઘ ધસડી લાવે, મૈં ઝટ કરે, ૩ ટકાવી રાખે, ૩ ડગે નહિ, તેં તરત લાવે, પ પરમેશરા, મૈં બળી, રૂ લાવે, વ વાવે, જ્ઞ શાંતિ કરે.’ મારવાડના લેખકે મુખ્યતયા વ ઉપર વધારે આધાર રાખે છે; એટલે કે લખતાંલખતાં ઊઠવું હોય કે લખવાનું કામ મેાકૂફ રાખવું હોય તેા વ અક્ષર આવ્યા પછી ઊઠે છે અથવા છેવટે કાઇ કાગળ ઉપર ૧ અક્ષર લખીને જ ઊઠે છે. લેખકાની ઉપરાક્ત માન્યતા વૈજ્ઞાનિક પદ્ધતિએ કેવી અને કેટલી તથ્ય છે એ બાબતના Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy