________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન- ૩
ત્રણ ગાથામાં ક્ષમાપનાનો ભાવ રજૂ કરતું આ સૂત્ર પદ્યમય અને નાહીં છંદમાં રચાયેલું છે.
આ સૂત્રનો મુખ્યત્વે ઉપયોગ પ્રતિક્રમણની ક્રિયામાં થાય છે. પ્રત્યેક પ્રતિક્રમણમાં ‘‘અમ્મુદ્ઘિઓ'' પાઠથી ખામણા કર્યા પછી બે વખત વાંદણા લઈને અવગ્રહની બહાર નીકળ્યા પછી બે હાથની મસ્તકે અંજલિ કરવાપૂર્વક આ સૂત્ર બોલાય છે.
૨૯૪
—
તે સિવાય અંતિમ આરાધના અવસરે ‘‘જીવ-ખામણા’' કરતી વખતે પણ આ સૂત્ર અત્યંત ઉપયોગી છે.
૦ સૂત્ર માહાત્મ્ય :- પ્રતિક્રમણનો વ્યાપક અર્થ છે મિથ્યાત્વથી પાછા ફરીને સમ્યક્ત્વમાં સ્થિર થવું, અવિરતિથી ખસીને વિરતિમાં રહેવું, પ્રમાદથી મુક્ત થઈને સંયમમાં ઉદ્યત્ થવું, કર્મબંધના કારણરૂપ કષાયભાવોનો ત્યાગ કરી, કષાયરહિતતા માટે પુરુષાર્થ કરવો - ઇત્યાદિ.
અહીં કષાયની ઉપશાંતિ એ મહત્ત્વનું ઘટક છે. વીતરાગતા પ્રાપ્તિ માટે પણ કષાયોનો નિગ્રહ અને ક્ષય જરૂરી છે. ક્રોધ આદિ ચાર કષાયોની ઉપશાંતિ ક્ષમા આદિ ચાર ગુણોથી થાય છે. તેથી ક્ષમા માંગવી અને આપવી એ પણ એક નિતાંત આવશ્યક ભાવક્રિયા છે. આ સૂત્રમાં આચાર્યથી આરંભીને સર્વ જીવો સાથે ક્ષમાપના કરવામાં આવી છે. આ ક્ષમાભાવથી જીવ ક્રોધરહિત થઈ પરંપરાએ સરળ, નમ્ર અને સંતોષી બને છે.
= સૂત્ર-નોંધ :
આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
આવો જ સૂત્રપાઠ - આવશ્યકસૂત્ર હારિભદ્રીય વૃત્તિમાં નોંધાયેલ છે, પહેલી બે ગાથાની નોંધ આવશ્યકચૂર્ણિમાં પણ જોવા મળે છે. સંસ્તારક પયત્રાની ગાથા ૧૦૪ થી ૧૦૬ પણ આ જ પાઠ દર્શાવે છે. અર્થાત્ આગમમાં આ સૂત્રપાઠ ઉપલબ્ધ છે.
આ સૂત્રનું ઉચ્ચારણ લયબદ્ધપણે કરવું.
-X——X—