SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ છે. જેમાં છઠી ગાથામાં બાર વ્રતના ત્રણ મુખ્ય વિભાગોના નામ રજૂ કર્યા છે. તથા તેનું સામાન્યથી પ્રતિક્રમણ કર્યું છે. ગાથા-૭માં સામાન્યથી સમારંભ-હિંસાની નિંદા કરી છે. ત્યારપછી ગાથા-૮થી વ્રત સ્વરૂપ અને અતિચારોનું વર્ણન છે. ૦ ગાથા - ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭માં પાંચ અણુવ્રતોનું સ્વરૂપ અનુક્રમે રજૂ કરવામં આવેલ છે. ૦ ગાથા - ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮માં પાંચે અણુવ્રતોના પાંચ-પાંચ અતિચારોને જણાવી તેનું પ્રતિક્રમણ કરાયેલ છે. ૦ ગાથા-૧૯નું પહેલું ચરણ, ગાથા-૨૦ અને ગાથા-૨૪, ૨૫માં ત્રણ ગુણવ્રતોનું સ્વરૂપ જણાવેલ છે અને ગાથા-૧૯ના પહેલા સિવાયના ત્રણ ચરણમાં તથા ગાથા-૨૧ થી ૨૩ અને ૨૬માં આ ત્રણ ગુણવ્રતોના અતિચારો રજૂ થયા છે. ૦ ગાથા-૨૭ થી ૩૦માં ચાર શિક્ષાવ્રતના પાંચ-પાંચ અતિચારોનું કથન અનુક્રમે કરાયેલ છે. ગાથા-૩૧, ૩૨માં ચોથા અતિથિસંવિભાગ દ્રત સંબંધી વિશેષ દોષોનું કથન કરાયેલ છે. ૦ ગાથા-૩૩ માં સંલેખના સંબંધી પાંચ અતિચારોનું કથન છે. ૦ ગાથા-૩૪, ૩૫ માં અતિચારના કારણોનું કથન થયેલ છે. ૦ ગાથા-૩૬ થી ૪૧ માં પ્રતિક્રમણની તાત્વિક ભૂમિકા રજૂ થઈ છે. જેમાં સમ્યગુદૃષ્ટિને થતો અલ્પ કર્મબંધ, તે પણ જલદીથી કઈ રીતે તુટે ?, મનુષ્ય હળવો કઈ રીતે બને ? ઇત્યાદિ કથન છે. ૦ ગાથા-૪૨ માં “ને સ્મરણમાં આવેલા અતિચારોનું પ્રતિક્રમણ અને ૪૩ માં વિરાધનાથી વિરમી આરાધનામાં ઉદ્યત્ થવાના સંકલ્પપૂર્વક સર્વે જિનને વંદના કરી. ૦ ગાથા-૪૪, ૪૫ માં સર્વે જિનપ્રતિમા અને સાધુને વંદના કરી. ૦ ગાથા-૪૬ માં શુભ ભાવના કરીને, ગાથા-૪૭માં અરિહંતાદિને મંગલરૂપ માની, સમાધિ-બોધિની માંગણી કરી. ૦ ગાથા-૪૮ માં પ્રતિક્રમણ કરવાના કારણોનું કથન કર્યું ૦ ગાથા-૪૯ માં સર્વે જીવો સાથે ક્ષમાપના કરીને, ગાથા-૫૦માં પ્રતિક્રમણના ઉપસંહારપૂર્વક સર્વે જિનેશ્વરને વંદના કરી. આ પ્રમાણે વંદિત્તસૂત્રના વિષયોની સંક્ષિપ્ત સૂચિ છે. ૦ વંદિત્ત સૂત્રનો વ્યવહારુ નિષ્કર્ષ : આ સૂત્રના વિશેષ કથનરૂપે સૂત્રનું સ્વરૂપ અને તેની સંક્ષિપ્ત વિષય સૂચિ થઈ, પણ વ્યવહારુ કે સામાન્ય ભાષામાં આ સૂત્રના તારણો રજૂ કરીએ તો વિવિધ નિયમો ગ્રહણ કરવાની સરળતા રહે તથા શ્રાવકજીવનની ભૂમિકાનું એક દશ્ય રજૂ કરી શકાય તેવા હેતુથી અહીં સૂત્રોક્ત વિષયોની વ્યવહારુ યાદી રજૂ કરેલ છે
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy