SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૬ ૨૫૫ ૦ મફળ - મ નું સંસ્કૃત રૂપાંતર છે મથુ - એટલે મથન કરવુ કે નાશ કરવો. મહી - એટલે “મથની' મથન કરનારી, નાશ કરનારી. – આ પદ પણ ચોથા ચરણમાં આવતા ‘હીં' પદનું વિશેષણ છે. – કેવી કથા ? અર્થાત્ કથાઓનું માહાત્મખ્ય શું છે ? આ કથાઓમાં બે પ્રકારની વિશેષતા રહેલી છે, તેમ કહે છે. (૧) આ કથાઓ - દીર્ધકાળના એકઠા કરેલા પાપોનો નાશ કરનારી છે. (૨) આ કથાઓ - લાખો (અનેક) ભવો અર્થાત્ જન્મ-મરણના ફેરાનો પણ નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. • વસ-નિખ-ળિયા -ડું - ચોવીશ જિનેશ્વરોથી નીકળેલી કથાઓ વડે. પૂર્વેના બે ચરણમાં કથાઓનું સામર્થ્ય જણાવીને સૂત્રકારશ્રી આ પદમાં તે કથા ક્યાંથી પ્રાપ્ત થઈ તેનો ઉલ્લેખ કરે છે. ૦ -નિ ચોવીશ જિન. – અહીં “ચોવીશજિન' શબ્દનો વાચ્યાર્થ નહીં પણ રહસ્યાર્થ લેવો. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં એક-એક ચોવીસી હોય છે અર્થાત્ જિનેશ્વરોની ચોવીશ ચોવીશની સંખ્યા હોય છે. આ અર્થમાં “ચઉવીશ જિન” એટલે માત્ર ચોવીશ જિનેશ્વર એમ નહીં વિચારતા પ્રત્યેક જિનેશ્વર એવો અર્થ ગ્રહણ કરવો. – બીજું મહાવિદેહ ક્ષેત્રમાં ચોવીસી' હોતી નથી છતાં ત્યાંના તીર્થંકર પરમાત્માના પણ જીવન, ગુણ, નામ, ચરિત્રો, ધર્મપ્રરૂપણા આદિ હોય તો છે જ. તેથી ધર્મકથા'ની પ્રાપ્તિ તો તેમાંથી પણ થાય જ છે. માટે ઉપલક્ષણથી મહાવિદેહ ક્ષેત્રના જિનેશ્વરોનો પણ અહીં સમાવેશ થાય છે. - સંક્ષેપમાં કહીએ તો “ચોવીસજિન” અર્થાત્ પ્રત્યેક જિનેશ્વર-પરમાત્મા સંબંધી કથા (કથન)નો અહીં સમાવેશ કરાયેલ છે. ૦ વિનિમય એટલે વિનિર્ગત - નીકળેલી. ૦ - એટલે ધર્મકથા, ધર્મકથન. - વિનિર્ગત કથાનો અર્થ વિવિધ રીતે દર્શાવાયેલ છે. ગંભીરતાથી આ અર્થોની વિચારણા જરૂરી છે. કેમકે કથા એટલે માત્ર વાર્તા અર્થ નથી. (૧) સામાન્ય અર્થ – જિનેશ્વરોના મુખથી નીકળેલી ધર્મકથાઓ. (૨) વિશેષ અર્થ – તીર્થકરોના નામનું કિર્તન, અને – તીર્થકરોના ગુણોનું કિર્તન તથા – તીર્થકરોના ચરિત્રોનું વર્ણન આદિ. અહીં ઉપલક્ષણથી બોધ કરાવતી સર્વે ધર્મકથાઓ સમજી લેવી. ૦ થર્મકથા શબ્દથી માત્ર કથા કે ચરિત્રો એવો અર્થ ગ્રહણ થતો નથી. કથા એ તો સમગ્ર ધર્મદેશનાનો એક ભાગ માત્ર છે.
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy