SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ હવે ગાથાના શબ્દો અનુસાર વિવેચન કરીએ છીએ– ૦ હોવ આ લોકને વિશે, મનુષ્યલોક સંબંધી. આ પદની સાથે ‘ઞામંતપત્રોને’શબ્દ જોડવાનો છે. - – ‘ઇહલોક' એટલે અહીં આવેલો લોક, મનુષ્યલોક. ઉર્ધ્વલોક ઉપર છે, અધોલોક નીચે છે. તેથી ‘ઇહલોક' શબ્દથી મનુષ્યલોકનું જ ગ્રહણ કરાય છે. આસંતાપોળ એટલે ઇચ્છાનો વ્યાપાર કે પ્રવૃત્તિ. ― www સંલેખનાનો તપ સ્વીકાર્યા પછી મનમાં એવી ઇચ્છા કરવી કે હું મરણ બાદ આ મનુષ્યલોકમાં પરભવને વિશે હું મનુષ્ય થઉં, રાજા થાઉં કે શ્રેષ્ઠી આદિ થાઉં ઇત્યાદિ ઇચ્છારૂપ જે પ્રયોગ-મન આદિનો વ્યાપાર-તે પહેલો અતિચાર છે. ૦ પર તોપુ - પરલોકને વિશે, પછીના ભવને વિશે. આ પદ સાથે પણ ‘ઞસંક્ષપોર્નો’શબ્દને જોડવાનો છે. સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી મનમાં એવી ઇચ્છા રાખવી કે, અહીંથી મરીને દેવ થાઉં, વિમાનોનો અધિપતિ ઇન્દ્ર થાઉં ઇત્યાદિ ઇચ્છારૂપ પ્રયોગ-મન આદિનો વ્યાપાર-તે સંલેખના સંબંધી બીજો અતિચાર છે. ♦ નીવિગ - જીવિત-જીવનને વિશે. આ પદ સાથે પણ ‘બાસસપોર્ન’ પદને જોડવાનું છે. જીવન કે પ્રાણધારણ તે જીવિત. સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી એવી ઇચ્છા રાખવી કે આ અવસ્થામાં હું વધારે વખત જીવું તો ઠીક. જેથી પ્રાપ્ત થઈ રહેલાં સત્કાર, સન્માન, ઉત્સવો આદિ લાંબો સમય ચાલે અને લોકોમાં મારી વધારે કીર્તિ થાય, તે જીવિતાશંસા પ્રયોગ નામે ત્રીજો અતિચાર. — . પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ અનશન કરેલ કોઈ શ્રાવકને ચાલુ ભવમાં જ અધિક જીવવાની ઇચ્છારૂપ વ્યાપાર. વિવિધ મહોત્સવો, અગણિત સત્કાર-સન્માન, વિશિષ્ટ બહુમાન, સાધર્મિક દ્વારા થતી પ્રશંસા એ બધું જોઈને વધુ જીવવાની ઇચ્છા કરવી તે. મળે - મૃત્યુ કે મરણના વિશે. - અવસાન કે મૃત્યુ તે મરણ. સંલેખના તપ સ્વીકાર્યા પછી ક્ષેત્રની કર્કશતાના કારણે, પૂજા-સન્માન આદિના અભાવે, ક્ષુધા વગેરેની પીડા અસહ્ય બનવાથી ઇત્યાદિ કારણે એવો વિચાર કરે કે હવે મારું મરણ જલ્દી થાય તો સારું એ મરણઆશંસા નામનો ચોથો અતિચાર છે. . સ પદથી ‘કામભોગ’' શબ્દનું ગ્રહણ કરાયું છે. - - અને. સામાન્યથી સમુચ્ચય કરવા વપરાય છે, પણ અહીં ‘ગ’ · ‘કામભોગ’ સાથે પણ આસંતપોળ શબ્દ જોડવાનો છે. સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી યોગ્ય પૂજા-સત્કારના અભાવે કે ક્ષુધા આદિ દુઃખથી પીડિત થઈને એવી ઇચ્છા કરવી કે વહેલો કે મોડો હું દેવલોકમાં કે મનુષ્યલોકમાં ગમે ત્યાં ઉત્પન્ન થાઉ પણ ત્યાં મને ઇચ્છિત કામ અને ભોગની
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy