SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૩૦ છતાં પોતાની કહેવી તે વ્યપદેશ છે. જેને પરવ્યપદેશ કે અન્યાપદેશ નામનો અતિચાર કહે છે. – મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ પોતાની હોય છતાં પારકી કહેવી, જેથી પારકી જાણીને મુનિ ગ્રહણ ન કરે અથવા પારકી હોવા છતાં તે વસ્તુને પોતાની કહેવી કે જેથી મુનિ તે વસ્તુ ગ્રહણ કરે. આ બંને વાત શ્રાવકને માટે અતિચાર રૂપ છે. તત્ત્વાર્થમાષ્ટ માં જણાવે છે કે, પૌષધોપવાસના પારણા કાળે ભિક્ષાને માટે સમુપસ્થિત થયેલ સાધુને પ્રગટ સ્વરૂપે અન્ન આદિ હોવા છતાં શ્રાવક એમ કહે કે આ તો પારકા છે, મારા નથી તેથી હું તે આપી શકીશ નહીં તેને પરવ્યદેશ અતિચાર કહે છે. — આ પ્રમાણેનું કપટ કે બહાનું શ્રાવક કેવી રીતે કરે તેના દૃષ્ટાંતો આપતા ગ્રંથકારો કહે છે - જેમકે — (૧) સાધુ સાંભળે તે રીતે ઘરના માણસોને કહે કે, આ તો આપણું નથી પારકું છે માટે સાધુને આપશો નહીં. એ રીતે સાધુને વિશ્વાસ પમાડવા ખોટું બોલે. (૨) સાધુ સાંભળે તેમ એવું બોલે કે, આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હોજો ! આવું બોલવાથી સાધુ અકલ્પ્ય માનીને તે વસ્તુ ગ્રહણ ન કરે. (૩) દાન માટે કોઈ વિદ્યમાન વસ્તુ મુનિએ માંગવા છતાં ‘અમૂક'ની છે, માટે ત્યાં જઈને માંગો. એ પ્રમાણે કહેવું - ઇત્યાદિ બહાના કાઢે. ♦ મરે - માર્ચથી, અદેખાઈ કરવામાં. આ અતિચાર અતિથિસંવિભાગ વ્રતનો ચોથો અતિચાર છે, તેનો ક્રમ યોગશાસ્ત્રમાં ત્રીજો છે. ઉપાસકદસાંગ સૂત્રમાં પાંચમો છે. - - મુનિરાજને દાન કરવા છતાં આદર ન રાખવો અથવા બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું તે માત્સર્ય. મુનિરાજ કોઈ વસ્તુની યાચના કરે ત્યારે કોપ કરવો કે વસ્તુ હોવા છતાં ન આપવી તે માત્સર્ય છે અથવા પોતાનાથી ઉતરતા કોઈ માણસને દાન આપતો જોઈને એમ વિચારે કે શું હું તેનાથી ઉતરતો છું ? માટે બરાબર દાન આપું - તે માત્સર્ય. - - કષાયયુક્ત ચિત્ત સહિત આપવું તે માત્સર્ય. અનેકાર્થ સંગ્રહ કોષમાં જણાવ્યા મુજબ બીજાની સંપત્તિ કે ઉન્નત્તિ સહન નહીં થવાથી તેના પર ક્રોધ કરવો - તે મત્સર. ૦ ચૈવ - તે જ રીતે. कालाइक्कम - दाणे કાલાતિક્રમ દાનથી, કાળ વીતી ગયા પછી દાન - - - - આપવાને વિશે. કાળનો અતિક્રમ કે ઉલ્લંઘન તે કાલાતિક્રમ કહેવાય છે. અહીં “કાળ’’ શબ્દથી “સાધુનો ભોજનકાળ અથવા ગૌચરી લેવા જવાનો સમય'' એવો અર્થ
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy