SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ – સામાયિક લીધા પછી તેમાં મનથી ઘર, દુકાન, જમીન, મકાન, કુટુંબ, સ્વજન વગેરે સંબંધી ચિંતા કરવી તે મનોદુપ્રણિધાન કહેવાય છે. તે સામાયિક વ્રતનો પહેલો અતિચાર છે. - મનોયોગને બરાબર સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કે દુરૂપયોગ થવા દેવો તે મનો દુપ્પણિધાન. - ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનોવ્યાપાર કરવો કે નિરર્થક પાપના વિચારો કરવા તે. ૦ સામાયિકમાં મનોદુપ્રણિધાન જન્ય દશ દોષો કહ્યા છે. જે સૂત્ર-૧૦ “સામાઇયવયજુત્તમાં મનનાં દશ દોષમાં જોવા. સામાયિક લઈને જે શ્રાવક આર્ત રૌદ્ર ધ્યાનમાં પડી ઘરની ચિંતા કરે તેનું સામાયિક નિરર્થક છે. (૨) વવનકુમ્બ્રાધાન-તિવાર : – સામાયિક લઈને કર્કશ, કઠોર કે તેવાં પ્રકારના દોષવાળા સાવદ્યવચનો બોલવાં એ “વચનદુષ્પણિધાન' નામે સામાયિક વ્રતનો બીજો અતિચાર કહ્યો છે. – વચનયોગને સંયમમાં ન રાખતા છૂટથી તેનો ઉપયોગ અથવા દુરૂપયોગ થવા દેવો તે વચનદુપ્રણિધાન. - શબ્દ સંસ્કાર વિનાની અને અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી તે વચનદુપ્પણિધાન. | (વચનયોગ દુષ્મણિધાન જન્ય દશ દોષો સામાયિકમાં કહ્યા છે. જે સૂત્ર૧૦ “સામાઈયે વયજુરો"માં વચનના દશ દોષરૂપે નોંધ્યા છે.) (૩) હાયકુwઘન-તિવર – - સામાયિક લઈને જગ્યા જોયા પ્રમા વિના ભૂમિ પર બેસે. ઉઠે, હાથ-પગ લાંબા-ટૂંકા કરે, કુતૂહલ વશ ઉભા થવું અથવા હાથ-પગની નિશાનીઓ કરવી કે પાસે રાખેલ વસ્તુઓની લેવડ-દેવડ કરવી ઇત્યાદિ કાય દુષ્મણિધાન છે. જે સામાયિક વ્રતનો ત્રીજો અતિચાર છે. – કાયરૂપ ઉપયોગને સંયમમાં ન રાખતાં તેનો છૂટથી ઉપયોગ કે દુરૂપયોગ થવા દેવો તે કાયદુપ્રણિધાન. (સામાયિકમાં કાયયોગના દુષ્પણિદાન જન્ય બાર દોષો કહ્યા છે. જેનું વર્ણન સૂત્ર-૧૦ “સામાઇયવયજુત્તોમાં જોવું.). પંચાશક સૂત્ર-૧ ગાથા ૨૬ની ટીકામાં આ ત્રણ દોષ વિશે કહ્યું છે – (૧) સામાયિકમાં જમીનને જોયા કે પ્રમાર્યા વિના બેસવું, ઉઠવું, ઉભા રહેવું વગેરે કરવાથી હિંસા ન થાય તો પણ, તે પ્રમાદરૂપ હોવાથી સામાયિક કરનારે સામાયિક કર્યું ન ગણાય. (૨) સામાયિક કરનારો પહેલાં બુદ્ધિથી વિચારે પછી જરૂર પડ્યે એકાદિ વખત નિરવદ્ય વચન બોલે અન્યથા તેનું સામાયિક સામાયિકરૂપ ન બને.
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy