SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૪ ચારિત્ર પાળી, કેવળી થઈને મોક્ષે ગયા. ૦ હવે ગાથા ૨૪, ૨૫, ૨૬ એ ત્રણે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના વિષયમાં છે, જેમાં ગાથા-૨૪ અને ૨૫માં આ ત્રીજા ગુણવ્રતના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડવામાં આવેલ છે અને ગાથા-૨૬માં આ વ્રતના પાંચ અતિચારોને જણાવવામાં આવ્યા છે. ૦ અનર્થદંડ વિરમણ વ્રતની ભૂમિકા : આ વ્રત શ્રાવકના બાર વ્રતોમાં સાતમા વ્રતરૂપે અહીં નોંધાયેલ છે. તેનો ઉલ્લેખ ત્રીજા ગુણવ્રતરૂપે પણ કરાયેલ છે. તત્ત્વાર્થસૂત્રના અધ્યાય-૭માં સૂત્ર-૧૬ માં જે સાત ઉત્તરગુણો રૂપ વ્રત કહ્યા, તેમાં આ વ્રતનો ક્રમ બીજો છે જ્યારે વંદિત્તુ સૂત્રમાં આ ક્રમો ત્રીજો છે. વળી ઉવવાઈ નામક આગમસૂત્રમાં તેને પહેલું ગુણવત કહેલ છે. યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિમાં વંદિત્તુ સૂત્રનો ક્રમ જ જળવાયેલ છે. ૦ ક અનર્થદંડને સમજવા માટે પહેલા ‘દંડ' શબ્દનો અર્થ જાણવો જરૂરી છે. “જેનાથી આત્મા દંડાય-દુઃખ પામે તે દંડ અથવા પ્રાણીને કે આત્માને જં દંડ-શિક્ષા કરે તે દંડ અથવા જેના વડે પ્રાણી દંડાય-મરણ પામ તે દંડ. પાપ સેવનથી આત્મા દંડાય છે - દુઃખ પામે છે માટે દંડનો અર્થ પાપસેવન પણ થાય છે. સ્થાનાંગ સૂત્રના પ્રથમ સ્થાનમાં – “દંડ એક પ્રકારનો છે'' એવું એક સૂત્ર છે. આ સૂત્ર-ભૂતોપમર્દન એટલે જીવહિંસાના સામાન્ય લક્ષણને ઉદ્દેશીને કરવામાં આવેલ છે. પણ એજ સૂત્રના બીજા સ્થાનમાં તેના બે પ્રકારો આ પ્રમાણે કહેલાં છે ‘દંડ’ના બે પ્રકાર કહેલાં છે - (૧) અર્થ દંડ અને (૨) અનર્થ દંડ. (૧) અર્થઽ - પ્રયોજનવશાત્ સકારણ પાપનું સેવન તે અર્થદંડ. ગૃહસ્થને પોતાનો તથા સ્વજન આદિનો નિર્વાહ કરવો પડે છે. આથી ગૃહસ્થ પોતાના તથા સ્વજન આદિના નિર્વાહ માટે જે પાપોનું સેવન કરે તે સપ્રયોજન હોવાથી અર્થદંડ છે. - - - જેના વિના ગૃહસ્થવાસ ન ચલાવી શકાય તે પાપસેવન એ અર્થદંડ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપભોગ પરિભોગને વશ અગારિ-વ્રતીની પ્રવૃત્તિ તે અર્થ છે. ૧૭૭ - જે હિંસા વિશિષ્ટ પ્રયોજનને લીધે કે અનિવાર્ય કારણોને લઈને કરવામાં આવી હોય તે અર્થદંડ કહેવાય. ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્ય, શરીર, કુટુંબ-પરિવાર વગેરેને અંગે જે કોઈ સાંસારિક કાર્ય કરવામાં આવે તે અર્થદંડ છે. - (૨) અનર્થવન્તુ :- પ્રયોજન વિના નિષ્કારણ પાપનું સેવન તે. જેમાં પોતાના કે સ્વજન આદિના નિર્વાહનો પ્રશ્ન જ ન હોય તેવું પાપ સેવન એ અનર્થદંડ છે. જેના વિના ગૃહસ્થાવાસ ચાલી શકે તે પાપસેવન ને અનર્થદંડ કહેવામાં - 3 12
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy