SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ (૨) દશાવકાસિક વ્રત - છઠું પહેલું ગુણવત) દિક્પરિમાણ વ્રત અને તે સિવાયના વ્રતોમાં રાખેલી છૂટોને મર્યાદિત કરવાનું વ્રત. (૩) પોષધોપવાસ વ્રત - અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિ કે વિશિષ્ટ પર્વ દિને પૌષધસહ ઉપવાસ આદિ કરવાનું વ્રત. (૪) અતિથિ સંવિભાગ વ્રત - અતિથિ એટલે સાધુ-સાધ્વી. તેમને શુદ્ધ આહાર-પાણી આદિનો સંવિભાગ અર્થાત્ દાન કરવાનું વ્રત. આ રીતે શ્રાવકના બાર વ્રત થાય છે. શાસ્ત્રકારોએ તેના ભાગ બે રીતે પાડેલ છે – (૧) અહીં ગાથા-૮માં જણાવ્યા મુજબના ત્રણ વિભાગ જેમાં અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતનો સમાવેશ કર્યો. (૨) મૂળગુણ અને ઉત્તરગુણ રૂ૫ જેમાં મૂળગુણ તે પાંચ અણુવ્રત અને ઉત્તરગુણ તે બાકીના સાત વ્રતો. આ બાર વ્રતોમાં લાગેલા અતિચારોનું શું કરવું ? • પડખે સિગં સā - અર્થ-વિવેચન ગાથા-૩ મુજબ, વિશેષ એ કે અહીં દિવસ દરમ્યાન બાર વ્રતો સંબંધી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરવાનું છે. – અહીં બાર વ્રતોનો ફક્ત સંખ્યા અને પ્રકારની દૃષ્ટિએ નિર્દેશ કરાયો છે તેના નામોલ્લેખપૂર્વક અતિચાર કથન હવે પછીની ગાથામાં છે જે “ચારિત્રાચારના અતિચારોનું વિશેષથી પ્રતિક્રમણ” કહેવાય છે. હવેની ગાથા-૯ અને ૧૦માં પહેલા અણુવ્રતના અતિચારનો હેતુ અને પાંચ અતિચારોનું કથન કરે છે– • પટને ખુલ્વયંમ થત-પાવાવ વિસ્ફો - પહેલા અણુવ્રતમાં સ્થૂળ પ્રાણાતિપાતની વિરતિને આશ્રીને– ૦ પઢ - પહેલા, બાર વ્રતમાં પહેલું - પાંચ અણુવ્રતમાં પહેલું. ૦ અણુવ્રયંતિ - અણુવ્રતમાં. ( અહીં જુવર્યાપ્તિ અને અનુવય એવા બને પાઠ પણ મળે છે.) ૦ થુન-પફવાય - સ્થૂળ પ્રાણાતિપાતની ૦ વિડ્યો - વિરતિ થકી, વિરમણવ્રતને આશ્રીને. “પહેલું અણુવ્રત” શબ્દપ્રયોગ કરીને આ અણુવ્રતનું નામ જણાવે છે - “સ્થૂળ પ્રાણાતિપાત-વિરતિ", તેના અતિચારોનું, કથન તો ગાથા-૧૦માં છે, પણ અહીં તે અતિચાર લાગવાનો હેતુ કહે છે. – સર્વ વ્રતોના સારરૂપ હોવાથી “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ' પહેલું અણુવ્રત કહ્યું છે. – સમગ્ર વાજ્યનો નિર્દેશ આ પ્રમાણે છે કે, હવે પહેલા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. - સ્થૂલ પ્રાણાતિપાત વિરતિમાં અતિચાર લાગે તેવું જે કાંઈ આચરણ કર્યું હોય (કઈ રીતે ? તે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે.) ૦ ધૂન - સ્થળથી. સ્થૂળતાથી પાલન એટલે અમુક અંશે વ્રતનું આચરણ
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy