SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ i વિશેષ કથન : – ચૈત્યવંદનમાં ઉવસગ્ગહરં સ્તોત્ર પૂર્વે અથવા સ્તવન બોલતા પહેલા આ સૂત્ર બોલાય છે. – સ્તુતિ ચતુષ્કમાં પણ પહેલી અને ચોથી સ્તુતિ બોલતા પહેલા આ સૂત્ર બોલવાની પરંપરા છે. – મધ્યમ કે લઘુ ચૈત્યવંદનમાં પણ થોયની પૂર્વે બોલાય છે. – પ્રતિક્રમણમાં વિશાલ લોચન દલ, નમોસ્તુ વર્ધમાનાય કે સંસાર દાવનલ પૂર્વે તથા મૃતદેવતા આદિ સ્તુતિ પૂર્વે, સ્તવન પૂર્વે, લઘુશાંતિ કે બૃહત્ શાંતિ પૂર્વે ઇત્યાદિ સ્થાને આ સૂત્ર બોલાય છે. - પૂજાઓ વગેરેમાં, પૂજનોના મંત્રોચ્ચાર પૂર્વે ઇત્યાદિ અનેક પ્રસંગે મંગલચરણ રૂપે આ સૂત્ર બોલાય છે. – પરંપરાગત રીતે એવી લોકોક્તિ પ્રસિદ્ધ થયેલી છે કે આ સૂત્ર શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ પૂર્વોમાંથી ઉદ્ભૂત કરેલું છે. - સાધ્વીજીઓ તથા બહેનોને આ સૂત્ર બોલવાનો નિષેધ છે. સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા સંસ્કૃત છે. – આ પાઠની નોંધ સં. ૧૩૬૪માં રચાયેલ વિધિપ્રપામાં, સં. ૧૩૮૩માં રચાયેલ ચૈત્યવંદનકુલક-વૃત્તિમાં, સં. ૧૪૬૮માં આચાર દિનકરમાં ઇત્યાદિ ગ્રંથોમાં ચૈત્યવંદન વિધિમાં આ સૂત્રનો ઉલ્લેખ તેની પ્રાચીનતા દર્શાવે છે.
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy