SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ – આવશ્યક સૂત્ર-૧૫ વૃત્તિમાં પણ જણાવે છે કે - દુર્બાન એટલે દુષ્ટ રીતે કરેલું ધ્યાન. આવું દુર્ગાન. તેને આર્ત અને રૌદ્ર એવા બે ભેદે કહ્યું છે. (પાક્ષિક સૂત્રમાં પણ આ બે ધ્યાનને પરિવર્જવા-છોડવાનું કહ્યું છે.) - આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને તત્ત્વાર્થસૂત્રના અધ્યાય નવમાં ભેદો સહિત ઓળખાવેલ છે. અન્ય ગ્રંથોમાં પણ તેનું સ્વરૂપ જોવા મળે છે– ૦ આર્તધ્યાન :- પીડા કે દુઃખ જેમાંથી ઉદ્ભવે તે આર્ત. જે ધ્યાનમાં રૂદન, દીનતા, આકંદન વગેરે રહેલા છે. આવા આર્તધ્યાનના મુખ્ય ચાર કારણો કે ભેદો જણાવેલા છે (૧) ઇષ્ટવિયોગ - પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ જ્યારે થાય ત્યારે તેને મેળવવાની ચિંતારૂપે જે ધ્યાન થાય તે ઇષ્ટના વિયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે. (૨) અનિષ્ટ સંયોગ - અપ્રિય કે અનિષ્ટ વસ્તુ અથવા વ્યક્તિનો સંયોગ થયો હોય ત્યારે તેના વિયોગની એટલે કે તે વ્યક્તિ કે સ્થિતિથી છુટા પડવાની ચિંતા થવી તે અનિષ્ટ સંયોગરૂપ આર્તધ્યાન છે. (૩) રોગચિંતા - શારીરિક-માનસિક પીડા કે વેદના થાય ત્યારે તે રોગ દૂર કરવા માટેની ચિંતા થાય છે, તે રોગ ચિંતારૂપ આર્તધ્યાન છે. (૪) નિદાન આર્તધ્યાન - નહીં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પો કરવા અથવા તો સતત ચિંતીત રહેવું તે નિદાન આર્તધ્યાન. આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, આર્તધ્યાનથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. તેમજ આ ધ્યાન દેશવિરતિ નામક પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. નંદમણિકાર આ ધ્યાનથી તિર્યંચગતિમાં ગયો. ૦ લઘુ દૃષ્ટાંત : રાજગૃહીમાં નંદ મણિકાર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેણે ભગવંત મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરેલા હતા. કોઈ વખતે ગ્રીષ્મઋતુમાં ચોવિહારા અઠમતપ યુક્ત પૌષધ ગ્રહણ કર્યો. તે દરમિયાન તેને ઘણી જ તરસ લાગી. ગળ સુકાવા લાગ્યું. તેના મનમાં આર્તધ્યાન શરૂ થયું. તે મનોમન ચિંતવવા લાગ્યો કે તેઓને ધન્ય છે કે જે પોતાના દ્રવ્ય વડે વાવ-કુવા કરાવે છે. તેણે પૌષધ પાર્યા બાદ શ્રેણિક રાજાની પરવાનગી લીધી. પછી રાજગૃહી નગરી બહાર નંદવાપિકા નામે ચાર મુખવાળી સુંદર વાવ બનાવી. ચારે તરફ ઉપવનો કર્યા. તેના જ આર્તધ્યાનમાં લીન રહેવા લાગ્યો. તેના શરીરમાં કર્મસંયોગે સોળ રોગ ઉત્પન્ન થયા. અનેક ઉપચારો કર્યા છતાં રોગનું નિવારણ ન થયું. આર્તધ્યાનમાં મરીને તે પોતાની જ વાવડીમાં દેડકરૂપે ઉત્પન્ન થયો. ૦ રૌદ્રધ્યાન :આ ધ્યાન આર્તધ્યાન કરતાં પણ વિશેષ કુર અધ્યવસાયવાળું છે. રૌદ્ર - જેનું ચિત્ત કુર અથવા કઠોર હોય તે રુદ્ર કહેવાય છે. – આવી રુદ્રતાપૂર્વકનું જ ધ્યાન તે રૌદ્રધ્યાન છે.
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy