SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવચ્ચગરાણં-સૂત્ર = સૂત્ર-વિષય : વૈયાવચ્ચ કરનારા, શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારા (દેવો)ના સ્મરણ માટે કાયોત્સર્ગ કરવાનું જણાવેલ છે. સૂત્ર-૨૪ વૈયાવચ્ચગરાણ-સૂત્ર # સૂત્ર-મૂળ : વૈયાવચ્ચગરાણં સંતિગરાણં, સમ્મદિષ્ઠિ-સમાહિગરાણં, કરેમિ કાઉસ્સગ્યું. (અન્નત્થ૰) # સૂત્ર-અર્થ : વૈયાવૃત્ત્વ કરનારા, શાંતિ કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારાઓના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. – શબ્દજ્ઞાન : ૨૦૫ - વૈયાવચ્ચ - વૈયાવૃત્ત્વ, સેવા સંતિ - શાંતિ સમાહિ - સમાધિ કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ – વિવેચન : આ એક નાનું સૂત્ર છે. “પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ'' વિષયક એક પુસ્તકમાં તેને ‘શાસનસેવક સ્મરણ સૂત્ર' કહ્યું છે. તેનું વિસ્તૃત વિવેચન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે - • વૈયાવરાળ - વૈયાવૃત્ત્વ કરનારાઓના (નિમિત્તે) જૈન શાસનની સેવા - રક્ષારૂપ વૈયાવચ્ચ કરવામાં તત્પર એવા ગોમુખ યક્ષ, અપ્રતિચક્રા-ચક્રેશ્વરી દેવી, યક્ષ-યક્ષિણીઓ. જિનશાસનની સેવા કરનાર વિદ્યાદેવી આદિ. ૦ વેયાવદ્ય - વ્યાવૃત્ત થયેલાનો ભાવ અથવા કર્મ. વ્યાવૃત્ત શબ્દ વ્યાવૃત્ત ક્રિયાપદ પરથી બનેલો છે. તેનો અર્થ છે વિશેષ પ્રકારે પ્રવૃત્ત થવું તે. – - ગરાણું - કરનારાઓના સમ્મદિ。િ - સમ્યક્ દૃષ્ટિ કરેમિ - હું કરું છું અન્નત્થ - (જુઓ સૂત્ર-૭) - વ્યાવૃત્ત એટલે વિશેષ પ્રકારે પ્રવૃત્ત થયેલ. પ્રવત્તિવાળો થયેલ કે સેવામાં રોકાયેલ થાય છે. તેનો ભાવ કે તેણે કરેલ ક્રિયા પ્રવૃત્તિ એ વૈયાવૃત્ત્વ કહેવાય છે. આવી વૈયાવૃત્ત્વ કરનારાઓને ‘વૈયાવૃત્ત્વકર’ કહે છે.
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy