SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ કરે છે. – કોઈ ભગવંત’ અર્થમાં ઘટાવી “શ્રત-ભગવંત' એવો અર્થ કરે છે. - દ્વાદશાંગી આદિ સમગ્ર શ્રતને યોગશાસ્ત્ર વૃત્તિકાર યશ, પ્રભાવ આદિ ‘ભગ’થી યુક્ત હોવાથી ભગવંત' કહે છે. (આ ‘ભગ’ શબ્દના વિવેચન માટે સૂત્ર૧૩ નમુત્થણના ‘ભગવંતાણં” શબ્દની વ્યાખ્યા જોવી.) ૦ શ્રેમ કાસમ - આ બંને પદોની વ્યાખ્યા તેમજ ૦ વંદ્વત્તિયા) થી ટમ વડસમ સુધી બધા જ શબ્દોની વ્યાખ્યા સૂત્ર૧૯ “અરિહંત ચેઇયાણ' સૂત્ર મુજબ જાણવી. -૦- સારાંશ :- શ્રી જિનભાષિત શ્રત - આગમ સર્વથા પ્રકારે પવિત્ર અને પૂજ્ય છે તેના - અથવા - શ્રત ભગવંતના વંદન, પૂજન, સત્કાર, સન્માન આદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. | વિશેષ કથન :- સૂત્રનો શબ્દશઃ અર્થ તથા તેનું વિવેચન કર્યા પછી તેમાં ન કહેવાયેલી એવી કેટલી વિશેષ વિગતોનું અહીં કથન કરેલ છે. – આ સૂત્ર ત્રણ નામોથી ઓળખાવાયું છે – (૧) પુકુખરવરદીવ - સૂત્રના આદ્ય પદને આધારે આ નામ પડેલ છે. (૨) શ્રુતસ્તવ - ચૈત્યવંદન ભાષ્યમાં પાંચ પ્રકારના સ્તવનો ઉલ્લેખ છે. (૧) શક્રસ્તવ, (૨) ચૈત્યસ્તવ, (૩) નામસ્તવ, (૪) શ્રુતસ્તવ, (૫) સિદ્ધસ્તવ. જેમાં શક્રસ્તવ અર્થાત્ નમુત્થરં સૂત્ર-૧૩ છે. ચૈત્યસ્તવ અર્થાત્ અરિહંત ચેઈયાણ એ ૧૯ભું સૂત્ર છે, નામસ્તવ અર્થાત્ લોગસ્સ એ આઠમું સૂત્ર છે, સિદ્ધ સ્તવ અર્થાત્ સિદ્ધાણંબુદ્ધાણં એ ૨૩મું સૂત્ર છે તેમ કૃતસ્તવ એ આ ૨૨માં સૂત્ર પુકૂખરવરદીવનું નામ છે. કેમકે આ સૂત્રમાં શ્રતની સ્તવના કરાયેલી છે. (૩) શ્રતધર્મસ્તુતિ – એવું પણ આ સૂત્રનું નામ છે. કેમકે તીર્થકર દેવોએ જે ઉપદેશ આપ્યો હતો તે તેમના મેધાવી, લબ્ધિ સંપન્ન અને ગણધર નામકર્મના ઉદયવાળા શિષ્યોએ સારી રીતે ઝાલ્યો. મૃતના રૂપે વ્યવસ્થિત સૂત્રબદ્ધ કર્યો હતો. એ રીતે જે સાહિત્ય નિર્માણ થયું, તેને શ્રુતજ્ઞાન રૂપે ઓળખવામાં આવે છે. તેની સ્તુતિ - તેનું ગુણ વર્ણન એ જ આ સૂત્રનો વિષય છે. તેથી આ સૂત્રને શ્રતધર્મ સ્તુતિ પણ કહી છે. ૦ સૂત્રની ગાથાઓમાં વર્ણિત બાબતો : ૦ ગાથા-૧ આ શ્રુતનો ઉદ્ભવ તીર્થંકર પરમાત્માની વાણી થકી થયેલો છે. તેથી પહેલી ગાથામાં તેમની સ્તુતિ કરવામાં આવી છે. – તેમાં થHફારે શબ્દનું કથન મહત્ત્વપૂર્ણ છે. કેમકે જેઓ શાસ્ત્રો કે વેદોને અપૌરુષેય માને છે, અર્થાત્ તેની ઉત્પત્તિ કોઈ પુરુષ દ્વારા થઈ નથી તેવી માન્યતા વ્યક્ત કરે છે, તે માન્યતા આ શબ્દથી નિરાધાર કરે છે. – વાણીરૂપી શબ્દોનું પ્રવર્તન પુરુષ વિના થઈ શકતું નથી તો પછી સમગ્ર શ્રત સાહિત્યની રચના ક્યાંથી થાય? વેદો પણ કોઈક ઋષિમુનિ દ્વારા રચિત છે,
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy