SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારાદાવાનલ-સ્તુતિ-સૂત્રનોંધ ૧૫૯ સૂત્ર-નોંધ : – આ સૂત્રનું આધાર સ્થાન - પૂર્વે વિશેષ કથનમાં જણાવ્યા મુજબ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની રચના છે. – આવશ્યકાદિ કોઈ આગમમાં તે જોવા મળતી નથી કેમકે તે પાછળથી થયેલી ગ્રંથરચના છે. – આ સ્તુતિની ભાષા સમ સંસ્કૃત-પ્રાકૃત છે. - આ ચારે સ્તુતિ અલગ-અલગ છંદોમાં રચાયેલી છે, તે મુજબ - પહેલી સ્તુતિ “ઇન્દ્રવજા” છંદમાં રચાયેલી છે. (બીજો મત એવો છે કે પહેલી સ્તુતિ “ઉપજાતિ” છંદમાં રચાયેલી છે.) – આ સ્તુતિ ચતુષ્કની બીજી સ્તુતિ “વસંતતિલકાઓમાં, ત્રીજી સ્તુતિ મંદાક્રાંતા” છંદમાં અને ચોથી સ્તુતિ “સ્ત્રગ્ધરા” છંદમાં રચાયેલી છે. – આ સ્તુતિની રચના ઘણી જ મનોહર, સુંદર પદોયુક્ત અને અતિ અર્થગંભીરતાથી યુક્ત છે. – “ભવવિરહ' શબ્દનો અર્થ મોક્ષ જરૂર કર્યો છે, પણ અહીં ભવવિરહ શબ્દની બીજી પણ વિશેષતા છે. તે એ કે હરિભદ્ર સૂરીશ્વરજીએ પોતાની અનેક રચનાને અંતે “ભવવિરહ' શબ્દનો પ્રયોગ કરેલો છે. આ શબ્દને એક “પ્રતિક" પણ ગણી શકાય, હરિભદ્રસૂરિજીનું પસંદગીનું વિશેષણ પણ કહી શકાય (જે રીતે આજકાલના કવિઓ પોતાના તખલ્લુસ રાખે છે.) તે હરિભદ્રસૂરિજીના પસંદિત સંકેત” રૂપ જરૂર છે. – સ્તુતિ ચતુષ્ક અર્થાત્ થોયના જોડા વિશેની વિશેષ ચર્ચા સૂત્ર-૨૦ કલાણકંદં" સ્તુતિમાં જોઈ લેવી. —-X —-X —
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy