SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સાધુ ૯૭ નમ:લોવ્ઝ સર્વસાધૂમ્ય: એવું રૂપાંતર છે. પૂર્વે અરિહંત, સિદ્ધ આદિ એક-એક શબ્દ જ હતો. અહીં લોક, સર્વ અને સાધુ એ ત્રણ શબ્દો છે. માટે ત્રણેનો અલગ-અલગ અર્થ જાણ્યા પછી સમુદિત અર્થ જોવો આવશ્યક છે. પહેલા સાધુ શબ્દનો અર્થ— નિરુક્તિથી તા એટલે સમપણું અને ધુ એટલે વિચારવું. જે સમપણાનો વિચાર કરે તે સાધુ. ‘સર્વ જીવો પ્રત્યે મૈત્રી''એ માર્ગ સાધુનો છે. તેથી તો નિર્યુક્તિકારે કહ્યું કે, બધાં જીવો પ્રત્યે સમતાને વિચારે તે સાધુ. ‘અહીં સમતાને ધારણ કરે તે સાધુ’ કહ્યું તે અર્થ ખરેખર ! મનનીય છે. કેમકે જેમ ક્ષત્રિય કુળમાં જન્મે તે ક્ષત્રિયપણાંના સંસ્કાર સાચવે છે, બ્રાહ્મણના કુળમાં જન્મેલા બ્રાહ્મણપણાંના સંસ્કાર સાચવે છે, તેમ આચાર્યની પરંપરામાં જન્મેલો તેમની રીતિ-નીતિ સાચવે તો જ સાધુ કહેવાય. ભગવતીજી સૂત્ર-૧માં વૃત્તિકાર મહર્ષિ સાધુ શબ્દનો અર્થ જણાવે છે કે– જે જ્ઞાનાદિ શક્તિ વડે મોક્ષની સાધના કરે છે તે સાધુ. જેઓ સર્વ પ્રાણીઓ પરત્વે સમતાનું ચિંતવન કરે છે તે સાધુ. – સંયમકારીઓને સહાય કરે છે અથવા ધારી રાખે છે તે સાધુ. -૦- આવશ્યક નિયુક્તિ તથા તેની વૃત્તિમાં સાધુનો અર્થ જણાવે છે કે– સમ્યગ્ દર્શનાદિ પ્રધાન વ્યાપાર (પ્રવૃત્તિ)થી જે નિર્વાણ સાધક યોગોને વિહિત અનુષ્ઠાન વડે સાધે છે, તે સાધુ કહેવાય છે. સર્વે પ્રાણીઓ પરત્વે સમસૃષ્ટિ હોવાથી તે સાધુ કહેવાય છે. – વિષયસુખોથી નિવૃત્ત થયેલા, વિશુદ્ધ ચારિત્ર અને નિયમોથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોની સાધના કરતા એવા સાધુ કહેવાય છે. = – સંયમની સાધના કરતા એવા અને તેમાં અસહાયીને સહાય કરતા હોવાથી તે સર્વે સાધુઓને હું નમસ્કાર કરું છે. -૦- ગ્રંથ આધારિત અન્ય વ્યાખ્યાઓ/ઓળખ : - — સામાન્યથી સાધુ એટલે સ્વ અને પરના હિતની અથવા મોક્ષના અનુષ્ઠાનની સાધના કરતા હોવાથી તે સાધુ કહેવાય છે. તેઓ નિર્વાણને સાધનારા છે, મન, વચન, કાયાના યોગને સાધે છે. સર્વ પ્રાણી પ્રત્યે સમભાવ કેળવે છે અથવા સર્વ પ્રાણી પર સમવૃત્તિ રાખે છે. - શ્રી પદ્મવિજયજી મહારાજ સાધુ પદની ઓળખ આપતા લખે છે— “વેદ ત્રણને હાસ્યાદિક ષટ્, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાહ્ય, ગ્રંથિ તજે મુનિરાય, ભવિયણ... સાધુ મહાત્મા સ્ત્રી, પુરુષ, નપુંસક ત્રણ વેદ; હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ હાસ્ય ષટ્ક; મિથ્યાત્વ; ક્રોધ, માન, માયા, લોભરૂપી ચાર કષાય એમ કુલ ચૌદ અત્યંતર અને ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવ પ્રકારે બાહ્ય પરિગ્રહને તજનારા છે, આ ચૌદ અને નવ એમ કુલ ૨૩ પ્રકારે પરિગ્રહના ત્યાગી એવા સાધુપદને સમજવામાં ફક્ત એક માન કષાયનો જ વિચાર કરીએ તો— 7 -
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy