SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ – પંચાચાર તો સાધુ પણ પાળે અને આચાર્ય પણ પાળે. તો પછી તે બંનેમાં ફર્ક શો ? – Oો ય વિહાર અહીં વિહાર શબ્દ સંયમના અર્થમાં લીધો છે. સંયમ બે પ્રકારનો છે – એક ગીતાર્થનો સંયમ, બીજો ગીતાર્થની નિશ્રાનો સંયમ. આ સિવાય ત્રીજો કોઈ સંયમ કહ્યો નથી. નિશ્રામાં રહીને પળાવેલો આચાર પાળે તે સાધુ કહેવાય. સ્વયં આચાર પાલન કરે તે આચાર્ય. X -X — 0 ઉપાધ્યાય : નમસ્કાર મંત્રના ચોથા પદમાં નમો સાથે જોડાયેલ શબ્દ “ઉવજ્ઝાયાણં' છે. આ શબ્દને સંસ્કૃતમાં ૩૫Tધ્યાખ્યા કહે છે અર્થાત્ “ઉપાધ્યાયોને" – થાય છે. ઉપાધ્યાયોને મારા નમસ્કાર થાઓ. પણ ઉપાધ્યાય એટલે શું ? – જેની પાસે જઈને અધ્યયન કરી શકાય - ભણી શકાય તે ઉપાધ્યાય. – અથવા - જેમની સમીપે વસવાથી પણ મૃતનો ગાય અર્થાત્ લાભ થાય તે ઉપાધ્યાય કહેવાય. – જૈન શાસનમાં ઉપાધ્યાયનું સ્થાન શિક્ષક જેવું છે. ઉપાધ્યાય શબ્દની વ્યુત્પત્તિ જ એમ કરી છે કે – ૩૫-સપનું સાત્રિ થાયતે જેમની સમીપ જઈને ભણાય તે ઉપાધ્યાય, પણ સમીપ એટલે શું ? વંદન આદિ વિધિ વડે નજીક જઈને શિક્ષણ લેવું તે. વિનયમર્યાદાપૂર્વક જેમની પાસે જઈને ભણાય તે. – સૂત્રક્રમ દષ્ટાંત :- મન હજી આઠ વર્ષનો બાળક છે. શય્યભવસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. શય્યભવસ્વામી પોતાના જ્ઞાનથી જાણે છે કે આ મનકમુનિનું આયુષ્ય માત્ર છ માસનું છે. આટલા અલ્પ આયુષ્યમાં આ બાળમુનિને આરાધક બનાવી દેવાનો છે. એક ઉપાધ્યાયે તો અભ્યાસ અને બાળક બંનેને ધ્યાનમાં લઈને અધ્યાપન કરાવવાનું હોય. શું કરવું ? બાળકને પહેલો પાઠ આપ્યો. - ઘો મન મુઠુિં - “ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. મંગલની ઇચ્છા કોને ન હોય ? બાળકે તો આ ટૂંકું વાક્ય યાદ રાખી લીધું. ધર્મ મંગલરૂપ છે. એટલો અર્થ સમજી લીધો. પણ ધર્મ શું છે ? તે તો હજી મનકમુનિ જાણતા નથી. પછી બીજો પાઠ શીખવ્યો હિંસા સંનનો તો અહિંસા, સંયમ અને તપ ધર્મ છે. અહિંસા - હિંસાથી અટકવું તે, સંયમ – ક્રોધાદિ કષાયો, ઇન્દ્રિયો અને મન, વચન, કાયા પરનો કાબુ, તપ એટલે તપસ્યા. બાળકને બીજો પાઠ શીખવાડી દીધો. તેને ધર્મ મંગલરૂપ છે અને અહિંસાદિ રૂપ ધર્મ છે તે બે વાત આવડી ગઈ પણ આ તો બાળમુનિ છે. તે માત્ર આટલું શીખીને ધર્મમય તો બનશે નહીં. જેમ બાળકને બિસ્કીટ આદિ લાલચો અપાય તેમ અહીં પણ બાળકને ગમતું કંઈક તો સમજાવવું જ પડશે ને ? ત્રીજો પાઠ શીખવી દીધો - વાવિ તં નમંતિ. જેનું મન ધર્મમાં સદા રોકાયેલું રહે તેને દેવતાઓ પણ નમસ્કાર કરે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy