SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ જ છે. તો પણ પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોની ગણના કરતા જેમ અરિહંતના ૧૨ ગુણ અને સિદ્ધના ૮ ગુણ જોયા તેમ આચાર્યના ૩૬-ગુણોનો અતિ સંક્ષેપમાં પરીચય રજૂ કરેલ છે - પાંચ ઇન્દ્રિયોનું સંવરણ કરે અર્થાત્ વિષયો તરફ જવા ન દેતા નિયમનમાં રાખે, બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓને ધારણ કરે, ચાર પ્રકારના ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરે, પ્રાણાતિપાતથી સર્વથા વિરમણ આદિ પાંચ મહાવ્રતોનું પાલન કરે, ઈર્ષ્યા, ભાષા આદિ પાંચ સમિતિનું અને મન આદિ ત્રણ ગુપ્તિનું પાલન કરે, જ્ઞાન-દર્શન આદિ પાંચ પ્રકારના આચારોનું પાલન કરવામાં સમર્થ હોય. એ રીતે – ૫ + ૯ + ૪ + ૫ + ૫ + ૫ + ૩ = ૩૬ ગુણો થાય. આ છત્રીસ ગુણ વિસ્તારથી જાણવા પ્રવચન સારોદ્ધાર જોવું તેની જ ગાથા ૫૪૭, ૫૪૮માં બીજા ત્રણેક પ્રકારે ૩૬ ગુણો વર્ણવ્યા છે. ♦ આચાર્યના છત્રીશ ગુણો - બીજી રીતે પ્રવચન સારોદ્ધાર, શ્લોક ૫૪૦માં આચાર્યના ૩૬ ગુણો ગણાવતા કહે છે કે, આચાર, શ્રુત, શરીર, વચન, વાંચના, મતિ, પ્રયોગ અને સંગ્રહ, પરિજ્ઞા એ આઠને આચાર્યની સંપદા કહી છે. આ આઠેના ચાર-ચાર ભેદ છે. તેથી કુલ બત્રીશ ભેદ થયા. તેમાં વિનયના ચાર ભેદ, આચાર, શ્રુત, વિક્ષેપણ અને દોષ પરિઘાત ઉમેરતા ૩૬ ગુણો થાય આચાર્યનો વિશિષ્ટ ગુણ : · જે રીતે અરિહંતનો વિશિષ્ટ ગુણ “માર્ગદશકપણું' છે, સિદ્ધનો વિશિષ્ટ ગુણ “અવિનાશીપણું” છે. તે રીતે આચાર્યનો વિશિષ્ટ ગુણ ‘‘આચાર’' છે. તેઓ આચારના ભંડાર છે, સ્વયં ઉચ્ચ આચારોના પાલક છે અને અન્યોને ઊંચા આચાર પાલન માટે ઉપદેશથી પ્રેરે છે. આચાર્યને નમસ્કાર શા માટે ? - - ભગવતીજી સૂત્ર-૧ની વૃત્તિમાં ખૂબ જ સંક્ષેપમાં જણાવે છે કે– આચાર્યો આચારના ઉપદેશને કારણે ઉપકારી હોવાથી નમસ્કરણીય છે. --- - • જેમ અરિહંતો ભવભ્રમણરૂપ રોગમાંથી છોડાવનાર છે તે નક્કી. આપણે મોક્ષે જવા પણ તૈયાર થઈ ગયા. પણ આત્મા તો હજી નિર્મળ બન્યો નથી. તો જ્યાં સુધી આ આત્મા સર્વથા મલરહિત ન બને ત્યાં સુધી તેની દેખભાળ કરશે કોણ ? - આચાર્ય કરશે — માટે તેને ‘“નમો'' કહ્યું. દેવે રસ્તો દેખાડ્યો. પણ ચાલવાનું કોણ શીખવે ? આચાર્ય. માટે તેમને નમસ્કાર કરવાનો. - -- - · અરિહંત ભગવંતો પછી જિન શાસન ચલાવનારા અને તેમાં કહેલા પદાર્થોને સમજાવનારા તથા હૃદયમાં ઉતારનારા એવા જો કોઈ હોય તો તે આચાર્ય છે. માટે જ કહેવાયું છે કે— ‘અત્ચમિયે જિન સૂરજ કેવળ, ચંદ્રે જે જગદીવો; ભુવન પદારથ પ્રકટન પટુ તે, આચારજ ચીરંજીવો રે...' આચાર્ય ભગવંતો સૂત્ર અર્થના જાણકાર હોય, જિનેશ્વરના માર્ગના ખપી,
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy