________________
નવકાર મંત્ર-આચાર્યનો અર્થ
જણાવનાર આચાર્ય કહેવાય છે.
આચાર એટલે જ્ઞાન, દર્શનાદિ પાંચ પ્રકારના આચાર, તેની મર્યાદામાં વિચરતા અર્થાત્ પોતે આચરે, કહે અને દર્શાવે તે આચાર્ય કહેવાય.
-
-
(આવશ્યક સૂત્ર નિયુક્તિ અને તેની વૃત્તિ તથા ચૂર્ણિ અનુસાર–)
– જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચાર, ઞ મર્યાદા વડે વાર કાળ નિયમ આદિ લક્ષણ વડે (વાસ્તે વિળÇ વદુમાણે આ ગાથાની વ્યાખ્યા નાĪમિ સંસમિમાં કરાયેલ છે) તે આચારને સ્વયં અનુષ્ઠાન રૂપે આચરતા, અર્થના વ્યાખ્યાન દ્વારા તેને જણાવતા, પ્રત્યુપ્રેક્ષણા આદિ ક્રિયા દ્વારા તે આચારને દર્શાવતા અને મુમુક્ષુઓ દ્વારા જે કારણે સેવાય છે, તેથી તે આચાર્ય કહેવાય છે.
જે સ્વયં સદનુષ્ઠાન આચરે છે અને આચરણ કરાવે છે અથવા મુમુક્ષુ વડે આચરાય છે અને મર્યાદા વડે પમાય છે, તે કારણથી આચાર્ય કહેવાય છે. આચાર્ય પદની ગ્રંથકારો દ્વારા અપાયેલી ઓળખ— “પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચો.''
– શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજીએ સંબોધ પ્રકરણમાં આચાર્યની ઓળખ આપતા તેમના છત્રીશ ગુણોનું જુદી જુદી ૪૭ રીતે વર્ણન કર્યું છે. જમાંના પ્રચલિત ૩૬ ગુણોનો પરિચય પંચિંદિય સૂત્રમાં અપાયેલ છે (જેનું સામાન્યથી વર્ણન અહીં આચાર્યના ગુણોમાં છે. વિસ્તારથી વ્યાખ્યા પંચિંદિય૦ સૂત્રમાં કરાયેલ છે.)
૮૩
આવશ્યક નિર્યુક્તિના શ્લોકને વિશેષાવશ્યક ભાષ્યકારે તથા અન્ય મહર્ષિએ છણાવટ કરી, તે પ્રમાણે આચાર્યને ઓળખવામાં ત્રણ બાબત કહી
(૧) પાંચ પ્રકારના આચારનું પોતે આચરણ કરતા હોય.
(૨) આ જ પાંચ આચારની તેઓ પ્રરૂપણા કરતા હોય. (૩) આચાર પાલનની વિધિ પણ બતાવતા હોય - તે આચાર્ય.
—
- પાંચ ઇન્દ્રિયોને સંવરનાર અર્થાત્ કાબુમાં રાખનાર, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, સંસારની વૃદ્ધિ કરનારા એવા ચાર કષાયોથી મુક્ત એ અઢાર ગુણો તથા પાંચ મહાવ્રતોથી યુક્ત, જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ, ઇર્યા આદિ પાંચ સમિતિથી અને મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિથી યુક્ત એ છત્રીશ ગુણધારી આચાર્ય જાણવા.
ઞ એટલે કંઈક કે અપરિપૂર્ણ વાર એટલે દૂત. બાવાર એટલે કંઈક જાસુસ જેવા, યોગ્ય અયોગ્ય વિભાગનું નિરૂપણ કરવામાં ચતુર જે શિષ્યો, તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રાર્થનો ઉપદેશ કરવામાં નિપુણ તેને આચાર્ય કહેવાય છે.
-
શ્રીપાલ ચારિત્રમાં શ્રી રત્નશેખરસૂરિજી જણાવે છે કે
જે પાંચ આચારો વડે પવિત્ર છે, નિર્મલ સિદ્ધાંતની દેશના આપવામાં ઉદ્યમી
છે, પર ઉપકારમાં અદ્વિતિયપણે તત્પર છે, તે આચાર્ય.
• આચાર્યના છત્રીશ ગુણ :
જો કે પંચિંદિય૦ સૂત્રમાં આ છત્રીશ ગુણોનો પરીચય વિસ્તારથી આવવાનો