________________
૬૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પરત્વેની કરુણાથી તેનો જીવ બચાવવા અઢી દિવસ એક પગ ઊંચો રાખેલો. જો તમે હાથીના ભવે આવું કષ્ટ સહન કર્યું, તો આ તો સાધુ મહાત્માના ચરણની જ છે. તમે પણ શ્રમણ બન્યા છો.
આ રીતે ધર્મસારથી એવા અરિહંતે ભવરોગના નિવારણ માટે પરીષહ રૂપી ઔષધ આપ્યું. માટે અરિહંતને “નમો' કહ્યું છે. કેમકે ભવ્ય જીવો મોક્ષને લાયક ખરા. પણ જીવોને મોક્ષ માર્ગ બતાવે કોણ ? - અરિહંત - માટે નમવું.
જગચિંતામણિ સૂત્રમાં પણ અરિહંતને અપાયેલા એકેક વિશેષણ વિચારો – જેમકે નચિંતામણિ સઘળા વાંછિતને પૂરનારા, નાહિં જગન્ના નાથ – જેને નાથ બનાવ્યા પછી કદાપી વૈધવ્ય ન આવે ઇત્યાદિ (જગચિંતામણિ૦ - સૂત્રના વિવેચનમાં આવવાનું જ છે.) આવા પરમઉપકારીપણાને કારણે તેઓ નમસ્કરણીય છે.
અરિહંતની ગુણવાચિતા પણ તેને નમવાનું કારણ છે. અરિહંત એ કોઈ વ્યક્તિવાચી પદ નથી. તેમાં ઋષભને કે મહાવીરને વ્યક્તિગત નમસ્કાર નથી, પણ અઢાર દોષ રહિતતા આદિ વિવિધ ગુણોને આશ્રિને મૂકાયેલ ગુણવાચી પદ છે. અહીં ગુણને આશ્રિને તેમને નમસ્કાર થાય છે. વ્યક્તિને આશ્રિને નહીં. સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વદશાના તથા અતીત, વર્તમાન કે અનાગત એ સર્વે અરિહંતોને નમસ્કાર સૂચવે છે.
અરિહંતો માર્ગના દાતા છે તેથી તેઓ નમસ્કરણીય છે. તેમ નવરચે નિરૂિ ૯૦૩માં કહ્યું. સમ્યગૂ દર્શનાદિ લક્ષણ માર્ગ, જેણે પ્રદર્શિત કર્યો તેનાથી જ મુક્તિ થવાની છે. તેથી પરંપરાએ મૂક્તિના હેતુરૂપ હોવાથી અરિહંતો પૂજ્ય છે. માટે તેમને “નમો' તેમ કહ્યું, સાવનસ્જિ માં જ આગળ જણાવે છે કે અરિહંત ભવરૂપી અટવીમાં (જંગલમાં) માર્ગ દેખાડનારા છે. તેમના નિપુણ માર્ગજ્ઞ ઉપદેશ થકી મોક્ષરૂપ ઇષ્ટ નગરે પહોંચી શકાય છે. માટે તેને નમસ્કાર કરવો જોઈએ. વળી તેઓ સંસારૂપ સમુદ્રમાંથી પાર ઉતારનારા નિર્ધામક રૂપ છે, છકાય - જીવના રક્ષણ કર્તા એવા મહાગોપ સમાન છે. તેથી તેમને પરમ ઉપકારી માન્યા છે.
આ અરિહંતને કરેલો નમસ્કાર હજારો ભવોના ભ્રમણથી જીવોને મુક્ત કરાવે છે. તેઓને ભાવથી કરાયેલ નમસ્કાર બોધિલાભને આપનારો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધનવાનોને આ નમસ્કાર ભવક્ષય કરાવનારો છે. આ રીતે માર્થ એવા અતુ નમસ્કારને વર્ણવ્યો આ અરિહંત નમસ્કાર સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં પ્રથમ મંગલરૂપ છે. તેમ આવશ્યક નિર્યુક્તિ ૯૨૬માં કહેલું છે.
- સારાંશ - છેલ્લે શ્રી હેમચંદ્રાચાર્યની પંક્તિને યાદ કરીએ તો
સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગન્ના લોકોને પવિત્ર કરતા અરિહંતની અમે સમ્યક્ ઉપાસના કરીએ છીએ.
૦ અરિહંતને પ્રથમ નમસ્કાર કેમ ?
“નમો અરિહંતાણં” તો સમજ્યા. અરિહંતને નમવાનું પણ કબુલ પણ પહેલો નમસ્કાર અરિહંતને જ કેમ ?
જેમ ગુફામાં હજાર મનુષ્યો છે. ઘોર અંધકાર છવાયેલો છે. તેમાં એક જ