________________
૪૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ઇશાનેન્દ્ર પ્રભુને બંને હથેળીમાં ગ્રહણ કરે છે એક છત્ર લઈ ઉભો રહે છે. બે ઇશાનેન્દ્ર ચામર ઢોળતા બંને પડખે ઉભા રહે છે અને એક ઇશાનેન્દ્ર હાથમાં શૂળ લઈને સન્મુખ ઉભો રહે છે.
• શક ઇન્દ્ર દ્વારા અરિહંત જન્માભિષેક ::
ત્યારપછી દેવેન્દ્ર શક્ર આભિયોગિક દેવોને બોલાવે છે. અચ્યતેન્દ્રની માફક અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે. તે દેવો પૂર્વે વર્ણિત બધી સામગ્રી લાવે છે. પછી શક્રેન્દ્ર અરિહંત પરમાત્માની ચારે દિશાઓમાં ચાર શ્વેત વૃષભોની વિકુર્વણા કરે છે. આ દર્શનીય, અભિરૂપ, પ્રાસાદીય એવા ચારે વૃષભોના આઠે સીંગડામાંથી જળધારાઓ નીકળે છે. આ આઠે જલધારા ઊંચે આકાશમાં ઉછળી એકત્રિત થઈને અરિહંત ભગવંતના મસ્તક પર પડે છે. પછી શક્રેન્દ્ર પોતાના ૮૪,૦૦૦ સામાનિક દેવો આદિ સાથે અભિષેક કાર્ય સંપન્ન કરી અચ્યતેન્દ્રની માફક વંદના-નમસ્કાર કરી, પર્થપાસના કરે છે.
પછી શક્રેન્દ્ર પાંચ રૂપોની વિકુવણા કરે છે. એક શક્ર અરિહંતને પોતાના કરસંપુટમાં ગ્રહણ કરે છે. એક શક્ર પાછળ ઉભો રહી છત્ર ધારણ કરે છે. બે શક્રો આસપાસ ઉભા રહી ચામર ઢોળે છે. એક શક્ર હાથમાં વજ લઈ આગળ ઉભો રહે છે. પછી શ૪ ૮૪,૦૦૦ સામાનિક દેવો ઇત્યાદિ તથા બીજા ભવનપતિ, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓથી ઘેરાયેલો પોતાની પૂર્ણ ઋદ્ધિ સાથે તથા વાદ્યોના નિર્દોષપૂર્વક પોતાની ઉત્કૃષ્ટ દેવગતિથી ચાલતો-ચાલતો અરિહંત ભગવંતના જન્મ નગરે, જન્મ ભવનમાં અરિહંતના માતા હોય ત્યાં પહોંચે છે.
ત્યારપછી અરિહંતને માતાની પાસે રાખે છે. અરિહંતની પ્રતિકૃતિનું પ્રતિસંહરણ કરે છે. માતાની અવસ્થાપિની નિદ્રા પાછી લે છે. પછી એક વસ્ત્રયુગલ અને બે કુંડલને અરિહંત ભગવંતના મસ્તક પાસે રાખે છે. એક સુંદર દામકુંડ અરિહંતના ચંદરવામાં લટકાવે છે. આનંદથી રમતા એવા અરિહંતને અનિમેષ દૃષ્ટિએ જોતો જોતો ઉભો રહે છે. પછી વૈશ્રમણ દેવોને આજ્ઞા કરીને અરિહંતોના ભવનમાં હિરણ્ય, સુવર્ણ, નંદાસણ, ભદ્રાસન આદિ સ્થાપન કરાવે છે. અરિહંત પ્રભુના અંગુઠે અમૃત મૂકે છે. કેમકે જિનેશ્વરો કદાપી સ્તનપાન કરતા નથી.
ત્યારપછી શકેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને અરિહંત ભગવંતના જન્મનગરના શૃંગાટકથી રાજમાર્ગ પર્યન્ત સર્વ સ્થાને ઘોષણા કરાવે છે કે, હે અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ ! જે કોઈ અરિહંત કે અરિહંતની માતાને માટે મનમાં પણ અશુભ ચિંતવશે તેમના મસ્તકના અર્જક વૃક્ષની મંજરીની માફક સોસો કડા થઈ જશે. પછી તે અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અરિહંત પરમાત્માનો જન્મ મહોત્સવ કરે છે. ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈને અષ્ટાનિકા મહોત્સવ કરે છે. ત્યાંથી પોત-પોતાના સ્થાને પાછા ફરે છે.
-૦- દીક્ષા કલ્યાણક રૂપ વિશેષતા :(કોઈપણ અરિહંત પરમાત્મા દીક્ષા લેવા તૈયાર થાય, દીક્ષા લેવા નીકળે અને