________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૩૭
5
ધોવે છે.
નામક સિંહાસન ચલાયમાન થાય છે. ત્યારે અવધિજ્ઞાનના ઉપયોગ વડે શક્રેન્દ્ર જાણે છે કે, અરિહંત ભગવંતનો જન્મ થયેલ છે. ત્યારે તે હર્ષિત, સંતુષ્ટ, આનંદિત અને પ્રસન્ન ચિત્તવાળો થાય છે - યાવત્ - તે પોતાના સિંહાસનેથી ઉભો થઈ, પાદપીઠ થકી નીચે ઉતરે છે. વૈર્યાદિ રત્નોની બનેલી પોતાની પાદુકા ઉતારે છે. એકાટિક ઉત્તરાસંગ કરે છે. બંને હાથ વડે અંજલિ કરીને અરિહંતની દિશામાં સાત-આઠ ડગલાં ભરે છે. પછી ડાબો ઘુંટણ ઊંચો કરે છે, જમણો ઘુંટણ જમીન પર સ્થાપે છે. ત્રણ વખતે મસ્તક નમાવીને ધરતી પર મૂકે છે. પછી થોડો ઊંચો થઈ, બંને હાથની અંજલિ કરી મસ્તકે ઘુમાવીને નમોલ્યુ” રૂપ શકસ્તવનો પાઠ બોલે છે.
એ રીતે અરિહંતને વંદન-નમસ્કાર કરીને પાછો સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેસે છે. પછી વિચારે છે કે, ભૂત, ભાવિ અને વર્તમાનકાળના દેવેન્દ્ર શુક્રનો એવો પરંપરાગત આચાર છે કે અરિહંતનો જન્મ મહોત્સવ કરે તો હું પણ અરિહંત ભગવંતનો જન્મ મહિમા કરું. આ પ્રમાણે વિચારીને તે પદાતિસેનાના અધિકારી હરિëગમેષી દેવને બોલાવીને એક યોજન પરિમંડલવાળો સુઘોષા ઘંટ ત્રણ વખત વગાડીને બધાં જ દેવ-દેવીઓને જલદીથી શક્રેન્દ્ર પાસે હાજર થવાની આજ્ઞા પ્રસારિત કરવા કહે છે.
શક્રેન્દ્રની આજ્ઞાથી હર્ષિત, સંતુષ્ટ થઈને તે ત્રણ વખત સુઘોષા ઘંટા વગાડે છે. ત્યારે સૌધર્મકલ્પના એક સિવાયના સર્વે એવા બત્રીસ લાખ વિમાનાવાસોમાં ખણખણાટ કરતી વાગવા લાગી. તે ઘંટારવોના લાખો પ્રતિધ્વનિઓથી આખો સૌધર્મકલ્પ વ્યાપ્ત થઈ જાય છે. પછી સૌધર્મ-કલ્પના અનેક વૈમાનિક દેવ-દેવીઓ શક્રની આજ્ઞા સાંભળે છે - યાવત્ - બધાં દેવ-દેવીઓ શક્ર પાસે ઉપસ્થિત થાય છે.
ત્યારે તે દેવેન્દ્ર શક્ર પોતાના પાલક નામના આભિયોગિક દેવને બોલાવીને ૧૦૦૦ યોજન લાંબુ, ૫૦૦૦ યોજન ઊંચું, મનોહર, દેદીપ્યમાન, શીધ્ર ત્વરિત ગતિવાળું દિવ્ય વિમાન વિદુર્વવા કહે છે. (દેવવિમાનના વિસ્તૃત વર્ણન અને સામાનિક આદિ સર્વે દેવોની બેઠક વ્યવસ્થા ઇત્યાદિ જાણવાની ઇચ્છાવાળાએ અમારો આગમ કથાનુયોગ ભાગ-૧ જોવો.) પાલક દેવ તે પ્રમાણેનું વિમાન વિકુર્વે છે.
તે વિમાનમાં સ્થિત મુખ્ય સિંહાસન પર ઇન્દ્ર બેસે છે. તેની સાથે પોતપોતાના સ્થાને ગોઠવાયેલા સિંહાસનો પર આઠ અગ્રમડિષી, ૮૪,૦૦૦ સામાનિક વો, અત્યંતર પર્ષદાના ૧૨,૦૦૦ દેવો, મધ્યમ પર્ષદાના ૧૪,૦૦૦ દેવો, બાહ્ય પર્ષદાના ૧૬,૦૦૦ દેવો, સાત સેના, સાત સેનાધિપતીઓ, તેત્રીશ ત્રાયદ્ગિશક દેવો, ચાર લોકપાલો, ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા અનેક દેવ-દેવીઓથી પરિવૃત્ત થઈને નીકળે છે. તે વખતે વાગતા વિવિધ જાતિના વાજિંત્રો, ઘંટનાદો, દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની જાય છે. આકાશ માર્ગ સાંકડો લાગે છે. એક લાખ યોજન પ્રમાણવાળી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતું તે વિમાન નંદીશ્વરદ્વીપના અગ્નિ ખૂણામાં રતિકર પર્વત પાસે આવે છે.
ત્યાં પહોંચી શક્રેન્દ્ર દિવ્ય દેવદ્ધિ તથા દિવ્ય દેવવિમાનનું સંકોચન કરે છે. પછી અરિહંત પરમાત્માના જન્મભવન પાસે જાય છે. ત્યાં જઈને તે દિવ્ય વિમાન દ્વારા