SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ અને તેમની માતાને સિંહાસન પર બેસાડે છે. શતપાક અને સહસ્ત્રપાક તેલ વડે તેમને માલિશ કરે છે. પછી સુગંધિત ઉબટન-પીઠી વડે ઉબટન કરે છે. પછી અરિહંત ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે અને માતાને ટેકો આપે છે. ત્યારપછી માતા અને પુત્રને પૂર્વ દિશાના કદલી મંડપ તરફ લઈ જાય છે. ત્યાંની ચંદ્રશાળાના સિંહાસન પર બેસાડે છે. તેમને ગંધોદક, પુષ્પોદક અને શુદ્ધ જલ વડે સ્નાન કરાવે છે. પછી સર્વ પ્રકારના આભુષણો અને અલંકાર વડે વિભૂષિત કરે છે. પછી અરિહંત ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે. અરિહંતની માતાની બાંહાને પકડે છે. ત્યાંથી ઉત્તર દિશાવર્તી કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસન પર લાવે છે. ત્યાં અરિહંત અને તેમની માતાને સિંહાસન પર બેસાડે છે. ત્યારપછી આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી લઘુ હિમવંત પર્વત જઈને ગોશીષ ચંદનનું કાષ્ઠ લઈને આવો. ત્યારે તે આભિયોગિક દેવો તે મધ્યમ રૂચક પર્વતવાસી ચાર મુખ્ય દિકકુમારીઓની આજ્ઞાનુસાર હર્ષિત અને સંતુષ્ટ થઈને - યાવત્ - વિનયપૂર્વક તેમની આજ્ઞા સ્વીકારીને ગોશીર્ષ ચંદનકાષ્ઠ લઈને આવે છે. ત્યારપછી તે ચારે દિકકુમારી અગ્રિ ઉત્પન્ન કરનાર શરકને તૈયાર કરે છે. શરકને અરણિ સાથે ઘસે છે. સંયોજિત કરે છે. શરક અને અરણિને ઘસીને આગની ચિનગારી ઉત્પન્ન કરે છે. ચિનગારી પેટાવીને તેમાં ગોશીષ ચંદનના લાકડાં નાંખે છે. પછી અગ્નિ પ્રજ્વલિત કરે છે. પછી તેમાં સમિધાકાષ્ઠને નાંખીને અગ્રિડોમ કરે છે, અગ્રિહોમથી રાખ (ભૂતિકર્મ) કરે છે. પછી તે રાખની પોટલી બનાવીને બાંધે છે. ત્યારપછી અનેક પ્રકારના મણિરત્નોથી સુંદર એવા બે ગોળા હાથમાં લઈ અરિહંત ભગવંતના કાન પાસે ટીક-ટીક એવો ધ્વનિ કરીને આશીર્વાદ આપે છે કે, હે ભગવન્! આપ પર્વત સમાન આયુષ્યવાળા - દીર્ધજીવી થાઓ. ત્યારપછી તે ચારે દિકકુમારીઓ અરિહંત ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરી, અરિહંત માતાને બાજુએથી પકડીને અરિહંત ભગવંતના જન્મ ભવનમાં લાવે છે. ત્યાં અરિહંત માતાને બેસાડી, અરિહંત પરમાત્માને માતા પાસે સુવડાવી મંગલગીતો ગાતી ઉભી રહે છે. આ રીતે અધોલોક, ઉર્ધ્વલોક, રૂચક પર્વતની ચારે દિશા એ છ ની આઠ-આઠ તથા વિદિશા અને મધ્યરૂચકની ચાર-ચાર એમ કુલ છપ્પન્ન દિકકુમારીઓ પ્રત્યેક પોત-પોતાના ૪૦૦૦ સામાનિક દેવો, ચાર મહત્તરા, ૧૬,૦૦૦ અંગરક્ષક દેવો, સાત સેના, સાત સેનાપતિ તથા અન્ય પણ મહર્કિક દેવો સાથે આવીને જન્મ કલ્યાણક મહોત્સવ કરે છે. * દેવેન્દ્રો દ્વારા અરિહંતનો જન્મ મહોત્સવ :- (બૂતીપ પ્રજ્ઞપ્તિ, આવશ્યક વૃત્તિ અને કલ્પસૂત્ર વૃત્તિ અનુસાર) • દેવેન્દ્ર શુક્રનું આગમન :-- અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણક કૃત્ય છપ્પન્ન દિકકુમારીઓએ સંપન્ન કર્યા પછી સૌધર્મેન્દ્ર શુક્રનું પર્વત સમાન નિશ્ચલ વિવિધ પ્રકારના મણિઓથી યુક્ત એવું શક્ર
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy