________________
જગચિંતામણિ સૂત્ર-વિશેષ કથન
૩૧૧
અનેક ચૈત્યવંદનો મળે છે. સ્તવનની માફક બાર ચૈત્યવંદન ચોવીસી તો અમે અમારા “ચૈત્યવંદન માળા' પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલી છે. તે સહિત કુલ ૭૭૯ ચૈત્યવંદનો અમે તેમાં મુદ્રિત કરાયેલા છે. આ પદ્યો વર્તમાનકાળે મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન તથા પ્રતિક્રમણની ક્રિયામાં બોલાય છે.
v સૂત્ર-નોંધ :– આ સૂત્ર પ્રાકૃત-અપભ્રંશ ભાષામાં રચાયેલું છે. – આ સૂત્રના આધાર સ્થાન વિશે સચોટ માહિતી મળેલ નથી. – ઉચ્ચારની દૃષ્ટિએ જોડાક્ષર આદિમાં થતી ભૂલો પરત્વે લક્ષ્ય આપવું.
– જો છંદની સમજ પડે અથવા શીખવનારને માહિતી હોય તો છંદ અનુસાર સૂત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.
–
–
–