________________
૩૧૨
સૂત્ર-૧૨
'અંકિંચિ' સૂત્ર તીર્થવંદન સૂત્ર
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
# સૂત્ર-વિષય :- આ સૂત્રથી ત્રણે લોકમાં રહેલા તીર્થોમાં બિરાજમાન સર્વે જિનપ્રતિમાઓને વંદન કરાય છે.
- સૂત્ર-મૂળ :
જં કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણુએ લોએ; જાઇં જિણ લિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ.
॥ સૂત્ર-અર્થ :- સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઈપણ તીર્થ હોય અને ત્યાં જેટલા જિનપ્રતિમાજી હોય તે સર્વેને હું વંદન કરું છું.
– શબ્દજ્ઞાન :જં કિંચિ - જે કોઈ તિત્વ - તીર્થ
-
नाम
વાક્યાલંકાર, નામરૂપ સ૨ે - સ્વર્ગમાં, દેવલોકોમાં માણુસેલોએ - મનુષ્યલોકમાં જિણબિંબાઈ - જિનપ્રતિમાઓ વંદામિ - હું વંદના કરું છું
પાયાલિ - પાતાળ, પાતાળલોકે
જાઈ – જેટલા
તાઇ સવ્વાઇં - તે સર્વેને
– વિવેચન :- સર્વ તીર્થો અને તેમાં રહેલા જિનપ્રતિમાઓની વંદનાને દર્શાવતું આ એક નાનકડું ફક્ત એક ગાથાનું સૂત્ર છે.
૦ સૂત્રનું નામ વ્યવહારમાં આ સૂત્ર તેના પ્રથમ પદોથી ‘નં વિવિ' સૂત્ર નામથી પ્રસિદ્ધ છે અને સૂત્રમાં સર્વે તીર્થોને આશ્રીને વંદના કરાયેલ હોવાથી આ સૂત્ર ‘તીર્થવન્દ્રન’ સૂત્ર પણ કહેવાય છે.
♦ ♥ કિંચિ નામ તિë - જે કોઈપણ નામ (રૂપ) તીર્થ હોય. ૦ નં િિવ - જે કોઈ (તીર્થનો અંગુલિનિર્દેશ કરે છે—)
૦ નામ નામ. આ શબ્દનો અર્થ બે રીતે થતો જોવા મળે છે.
– પ્રચલિત અર્થ મુજબ નામ અર્થાત્ નામ માત્રથી પણ (તીર્થ હોય)
-
· નામ શબ્દ અવ્યય છે, તે વાક્યાલંકારને સૂચવે છે. તેથી નામ શબ્દનો કોઈ
સામાન્ય કે વિશેષ અર્થ નથી, માત્ર છંદ રચના પુરતો આ શબ્દ વપરાયો છે, તેથી
તેને વાક્યાલંકાર કહેવાય છે.
૦ તિર્થં - તીર્થ. જેનું વિવેચન સૂત્ર-૮ ‘લોગસ્સ'માં થઈ ગયેલ છે. અહીં ‘તિત્થ’ શબ્દ એકલો લઈએ તો ‘તીર્થ' અર્થ ધરાવે છે.