________________
જગચિંતામણિ સૂત્ર-વિવેચન
છે. હવે ચોથી ગાથામાં જિનચૈત્યોની વંદના કરવામાં આવેલ છે. ♦ સત્તાણવઈ સહસ્સા૰ ગાથા (આ ગાથામાં સંખ્યાવાચી શબ્દો છે.) ૦ સત્તાળવજ્ઞ-સહસ્સા એટલે સત્તાણું હજાર (૯૭,૦૦૦) ૦ નવવા-પન્ન એટલે છપ્પન લાભ (૫૬,૦૦,૦૦૦)
૦ ગટ્ટ જોડિયો એટલે આઠ કરોડ (૮,૦૦,૦૦,૦૦૦)
૦ વત્તીય - બત્રીશ સો (૩,૨૦૦) અહીં વત્ત સમય પાઠ પણ મળે છે. • बासीया એટલે બ્યાશી (૮૨)
આ બધાં અંકોનો સરવાળો કરવાનો છે. જેથી ઇષ્ટ અંક મળશે.
303
-
-
૯૭,૦૦૦ + ૫૬,૦૦,૦૦૦ + ૮,૦૦,૦૦,૦૦૦ + ૩૨૦૦ + ૮૨.
- બધાં અંકોનો કુલ સરવાળો થાય છે ૮,૫૭,૦૦,૨૮૨.
૦ તિયોÇ - ત્રિલોકમાં, ત્રણે લોકમાં, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ લોકમાં રહેલા. ઘે′′ - ચૈત્યોને, જિનાલયોને, જિનપ્રાસાદાને (જે શાશ્વત છે)
d
૦ તંત્રે - હું વંદન કરું છું, હું વંદુ છું.
સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણે લોકમાં રહેલા (અને શાશ્વત) આઠ કરોડ, સત્તાવન લાખ, બસો બ્યાશી જિનાલયોની વંદના કરું છું.
૦ સકલતીર્થ સૂત્રમાં આ જ જિનચૈત્યોની સંખ્યા ત્રણે લોકને આશ્રીને અલગઅલગ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે–
ઉર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વત જિનાલયો છે.
અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વત જિનાલયો છે. મૃત્યુલોકમાં ૩,૨૫૯ શાશ્વત જિનાલયો છે.
ત્રણે લોકમાં થઈને - ૮,૫૭,૦૦,૨૮૨ શાશ્વત જિનાલયો છે.
G
આ સંખ્યામાં વ્યંતર, જ્યોતિષ્કના અસંખ્યાત જિનાલયોનો સમાવેશ થતો નથી કેમકે તે ‘અસંખ્યાત' છે. તેથી તેની ઉક્ત સંખ્યા સાથે ગણના અશક્ય છે.) ૦ ઉર્ધ્વલોકના શાશ્વત ચૈત્ય - ૮૪,૯૭,૦૨૩ની ગણના :
પહેલા સ્વર્ગ – ૩૨,૦૦,૦૦૦; બીજા સ્વર્ગે - ૨૮,૦૦,૦૦૦; ત્રીજા સ્વર્ગ-૧૨,૦૦,૦૦૦; ચોથા સ્વર્ગે - ૮,૦૦,૦૦૦; પાંચમાં સ્વર્ગે - ૪,૦૦,૦૦૦; છટ્ઠા સ્વર્ગે - ૫૦,૦૦૦; સાતમા સ્વર્ગે - ૪૦,૦૦૦; આઠમા સ્વર્ગે - ૬,૦૦૦; નવમા-દસમા - ૪૦૦; અગિયારમા-બારમા સ્વર્ગે - ૩૦૦; નવ ચૈવેયકમાં - ૩૧૮ અને પાંચ અનુત્તરમાં - ૫ એ બધાં મળીને ૮૪,૯૭,૦૨૩ શાશ્વત ચૈત્યો - જિનાલયો ઉર્ધ્વલોકમાં આવેલા છે.
૦ અધોલોકના શાશ્વત ચૈત્યો ૭,૭૨,૦૦,૦૦૦ની ગણના :
(* આ ગણના અધોલોકના ભવનપતિના ભવનોમાં આવેલા શાશ્વત ચૈત્યોની છે, વ્યંતર ભવનોમાં તો અસંખ્યાત ચૈત્યો-જિનાલયો આવેલા છે. તે ક્યાં ક્યાં અને કેવી રીતે ? તે ઉલ્લેખ મળેલ નથી.)
અસુરકુમારના ભવનોમાં ૬૪,૦૦,૦૦૦; નાગકુમારના ભવનોમાં ૮૪,૦૦,૦૦૦;