SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ છે અને “જગત' શબ્દથી પણ આ શબ્દ લોક પ્રસિદ્ધ જ છે. – 1 નો એક અર્થ ‘નો' થાય છે. આ નો' શબ્દના અર્થનો વિસ્તાર પૂર્વે સૂત્ર-૮ નો માં પણ કરેલ છે અને હવે પછી સૂત્ર-૧૩ “નમુત્યુ' માં પણ તારમાં આદિ પાંચ શબ્દોની વ્યાખ્યામાં થવાનો છે. વળી સૂત્ર-૧ નમો નોઈo ના વિવેચનમાં પણ ‘લોક' શબ્દની વ્યાખ્યા કરાયેલ છે. ૦ ચિંતામણિ – આ એક પ્રકારનું રત્ન છે, જે ચિંતન માત્રથી ઇષ્ટ ફળને આપનારું છે. અહીં જિનેશ્વર પરમાત્માને માટે ચિંતામણિ રત્નની ઉપમા એટલા માટે અપાઈ છે કે, જેમના હૃદય તેમના પરત્વેની ભક્તિથી પરિપૂર્ણ હોય છે, તેઓને પુણ્યાનુબંધી પુણ્યથી અથવા લાભાંતર કર્મના ક્ષયોપશમથી તેમના સઘળા મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે. પરંપરાએ મોક્ષરૂપી ફળ પણ આપે છે. – નવંતામણિ સમગ્ર પદનો અર્થ – “જગતના ભવ્ય જીવોને માટે ચિંતામણિ રત્ન સમાન' એ પ્રમાણે કહેવાય છે. કેમકે – ભવ્ય જીવો જ “મોક્ષ તત્ત્વને માને છે. મોક્ષદાતાની બુદ્ધિથી જિનવરની ઉપાસના કરે છે. ભગવંતની નિર્મળ નિષ્કામ ભક્તિ વડે “આરોગ્ય', “બોધિલાભ' આદિની પ્રાપ્તિ થાય છે તે કથનની વિચારણ “નોરમ્સ સૂત્રમાં વિસ્તારથી કરેલી જ છે. માટે ભવ્યજીવોને માટે ચિંતામણિ રત્ન સમાન અર્થાત્ મનોવાંછિત ફળને આપનારા' એવો અર્થ અહીં કરેલો છે. ૦ જગનાહ :- જગતના નાથ, જગતના સ્વામી. - અહીં એક પાઠ ભેદનો ઉલ્લેખ છે. નાનાહ નહીં પણ “નહિ નાદ' કેમકે કેટલીક પ્રાચીન પોથીઓમાં નાહ-નાદ એવો પાઠ જોવા મળે છે. વળી આ પહેલી ગાથા છંદની દષ્ટિએ રોલાછંદમાં છે. છંદ અને માત્રા મેળની દૃષ્ટિએ નનાદ કરતા નદિનાદ પાઠ વધારે બંધ બેસતો લાગે છે. અમે ચાલી આવતી પરંપરા મુજબ અહીં નહિ લખ્યું છે વળી ‘નનારું શબ્દ દર્શાવતા પણ પાઠો મળે તો છે જ. તેથી બેમાંથી કયો શબ્દ પ્રયોગ સાચો છે ? તે તો બહુશ્રુતો’ કહી શકે. ૦ 11 - જગતના. અહીં ત્રણ જગત્ના, ત્રિલોકના અર્થ થાય છે. ૦ નાહ - નાથ, સ્વામી, ધણી, યોગ ક્ષેમ કરનાર, શરણદાતા. – જિનેશ્વર પરમાત્માને જગન્ના નાથ કહ્યા તે વિશેષણ યોગ્ય જ છે કેમકે – જે જીવો ધર્મ માર્ગમાં જોડાયેલા નથી, તેમને તેઓ ધર્મ માર્ગમાં જોડે છે. જેઓ ધર્મ માર્ગમાં જોડાયેલા છે, તેમનું તેઓ ઉપદેશ આદિ દ્વારા રક્ષણ કરે છે. – દેવોના ઇન્દ્રો-સુરેન્દ્રો, અસુરોના ઇન્દ્ર-અસુરેન્દ્ર કે માનવોના ઇન્દ્ર-નરેન્દ્ર આદિ સર્વે જેમના ચરણમાં મસ્તક ઝુકાવે છે, તેમજ ત્રણે લોકની ઉપર સિદ્ધશિલારૂપ મસ્તકે તેઓ બિરાજમાન થાય છે, એ કારણથી તેમને ત્રિલોકના નાથ કહે છે તે યોગ્ય જ છે. – આ જ વિશેષણ નમુત્થણ' સૂત્રમાં નીનાહા શબ્દથી પ્રયોજાયેલ છે. જગતું એટલે લોકો આ લોકના નાથ તે ‘નોનાર્દ અહીં લોક શબ્દથી (ના શબ્દથી) વિશિષ્ટ ભવ્ય-જીવ સમૂહ લેવો તેવું શ્રી હરિભદ્રસૂરિજીનું કથન છે. “નાનાહ’ શબ્દની
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy